Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
( ૨૩૬ )
પ્ર0 - જીવ ઉચે શી રીતે આવ્યો ?
ઉ0 - એકેક પુલ-પરાવર્તમાં નિગોદપણે ને નિગોદપણે જ કે જયાં નારકી કરતાં અનંતગણું દુઃખ છે ત્યાં, જીવે અનંતા જન્મ-મરણ કર્યા. એવા અનંતાનંત પુગલ-પરાવર્તાના કાળના જન્મ-મરણના અને બીજા દુઃખોના માપ કેટલા ? એ વીત્યા પછી ભવિતવ્યતાના યોગે નિગોદમાંથી જીવ બહાર નીકળી એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના અનેક જાતના અવતારમાં અનંતીવાર ભમ્યો ! દાખલા તરીકે, સૂક્ષ્મ એકેન્દ્રિય પૃથ્વીકાયાદિની યોનિમાં આવ્યો. ત્યાંય નિસ્ટ્રીમ દુઃખ ! પાછું ત્યાંને ત્યાં જન્મવા-મરવાનું જરૂર પડ્યે અસંખ્ય વાર ! એમાંથી પાછો નિગોદમાં, ત્યાંથી વળી બાદર (સ્થૂલ) પૃથ્વીકાયાદિમાં; ફરી નિગોદે; તેય જરૂર પડ્યે નિગોદપણે અગણિતવાર જન્મવામરવાનું ! પાછું ત્યાંથી કે બીજા એકેન્દ્રિયપણામાંથી બહાર નીકળીને હીન્દ્રિય (બે ઇન્દ્રિય)-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિયપણે ઉત્પન્ન થયો. એમાંય સંખ્યાબંધ ભવો કર્યા. એ બધે જીવન કેવું ? આહાર-વિષય-પરિગ્રહની લાલસા અને પ્રવૃત્તિનું. સાથે કષાયો અને હિંસાદિ છે જ. પછી જો ત્યાંથી બહુ ખસ્યો તો ગયો નિગોદાદિ એકેન્દ્રિયપણામાં. ત્યાં કેટલાય જન્મ-મરણાદિના ત્રાસ ભોગવી પાછો માંડ ઊંચે વિકસેન્દ્રિયપણામાં આવ્યો.
ભવોનાં દુઃખ - પૃથ્વી, પાણી, વનસ્પતિ, અગ્નિ, વાયુ, કીડા, મંકોડા, માકણ, મચ્છર વગેરે એકેન્દ્રિય-વિકસેન્દ્રિયના ભયંકર દુઃખો તો સમજાય છે ને ? કચરામણ, કપામણ, છે દામણ, અગ્નિમાં બળવાનું, ઉકળતા પાણીમાં જીવતા બફાવાનું, કળકળતા ઉષ્ણ ઘી-તેલમાં તળાવાનું, ઇત્યાદિ ઇત્યાદિ પીડાઓનો ત્યાં પાર નથી, એવું અનંતી-અનંતી વાર ભોગવી જીવ માંડ ઊંચો આવ્યથી તિર્યંચ-પંચેન્દ્રિયપણું પામ્યો. તેય જંગલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322