________________
( ૨૩૬ )
પ્ર0 - જીવ ઉચે શી રીતે આવ્યો ?
ઉ0 - એકેક પુલ-પરાવર્તમાં નિગોદપણે ને નિગોદપણે જ કે જયાં નારકી કરતાં અનંતગણું દુઃખ છે ત્યાં, જીવે અનંતા જન્મ-મરણ કર્યા. એવા અનંતાનંત પુગલ-પરાવર્તાના કાળના જન્મ-મરણના અને બીજા દુઃખોના માપ કેટલા ? એ વીત્યા પછી ભવિતવ્યતાના યોગે નિગોદમાંથી જીવ બહાર નીકળી એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના અનેક જાતના અવતારમાં અનંતીવાર ભમ્યો ! દાખલા તરીકે, સૂક્ષ્મ એકેન્દ્રિય પૃથ્વીકાયાદિની યોનિમાં આવ્યો. ત્યાંય નિસ્ટ્રીમ દુઃખ ! પાછું ત્યાંને ત્યાં જન્મવા-મરવાનું જરૂર પડ્યે અસંખ્ય વાર ! એમાંથી પાછો નિગોદમાં, ત્યાંથી વળી બાદર (સ્થૂલ) પૃથ્વીકાયાદિમાં; ફરી નિગોદે; તેય જરૂર પડ્યે નિગોદપણે અગણિતવાર જન્મવામરવાનું ! પાછું ત્યાંથી કે બીજા એકેન્દ્રિયપણામાંથી બહાર નીકળીને હીન્દ્રિય (બે ઇન્દ્રિય)-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિયપણે ઉત્પન્ન થયો. એમાંય સંખ્યાબંધ ભવો કર્યા. એ બધે જીવન કેવું ? આહાર-વિષય-પરિગ્રહની લાલસા અને પ્રવૃત્તિનું. સાથે કષાયો અને હિંસાદિ છે જ. પછી જો ત્યાંથી બહુ ખસ્યો તો ગયો નિગોદાદિ એકેન્દ્રિયપણામાં. ત્યાં કેટલાય જન્મ-મરણાદિના ત્રાસ ભોગવી પાછો માંડ ઊંચે વિકસેન્દ્રિયપણામાં આવ્યો.
ભવોનાં દુઃખ - પૃથ્વી, પાણી, વનસ્પતિ, અગ્નિ, વાયુ, કીડા, મંકોડા, માકણ, મચ્છર વગેરે એકેન્દ્રિય-વિકસેન્દ્રિયના ભયંકર દુઃખો તો સમજાય છે ને ? કચરામણ, કપામણ, છે દામણ, અગ્નિમાં બળવાનું, ઉકળતા પાણીમાં જીવતા બફાવાનું, કળકળતા ઉષ્ણ ઘી-તેલમાં તળાવાનું, ઇત્યાદિ ઇત્યાદિ પીડાઓનો ત્યાં પાર નથી, એવું અનંતી-અનંતી વાર ભોગવી જીવ માંડ ઊંચો આવ્યથી તિર્યંચ-પંચેન્દ્રિયપણું પામ્યો. તેય જંગલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org