________________
( ૨૩૫
તો પછી વળી પરિગ્રહમાં સુખ માને છે, ત્યારે પાછો વળી નિદ્રામાં સુખ દેખે છે. સાચા મોક્ષના સુખનું એને ભાન સરખું નથી. યાદ સરખી નથી. કોઈ યાદ કરાવે તો માનવા તૈયાર નથી. એ તો કૃત્રિમ દુન્યવી ક્ષણિક સુખમાં લુબ્ધ છે. તેથી આહારાદિમાં સુખ જુએ છે, એટલું જ નહિ પરંતુ એ આહાર, એ વિષયો, એ પરિગ્રહ, એ નિદ્રા તરફ પૂરજોશથી ધસે છે; એમાં ઓતપ્રોત થઈ પ્રવર્તે છે. એ પ્રવર્તવાનું પણ હિંસા, જૂઠ, અનીતિ, ચોરી, કલહ, આરોપ વગેરે ભયંકર દુષ્કૃત્યો અને ક્રોધ-માનમાયા-લોભ-ઇર્ષા-મમતા વગેરે જાલીમ દુર્ગુણો સેવીને કરે છે. આના યોગે ઘોર પાપકર્મોથી એ લેપાય છે અને એથી નરક નિગોદાદિના શરીર ધારણ કરી ગજબનાક અનંત દુઃખાગ્નિની ભઠ્ઠીઓમાં દીઘતિદીર્ઘ કાળ સુધી એ શેકાય છે !! ત્યાં પછી આહાર-વિષયોનીય સગવડ સુકાઈ જાય છે ! દુન્યવી સુખનાય વાખા પડે છે ! ત્યારે, મોક્ષનું સુખ તો ક્યાંય દૂર છે ! અનંત સમૃદ્ધિવાળા જીવની આ કેવી દુઃખદ દુર્દશા !
પ્રઢ - નિગોદ એટલે શું?
ઉ૦ - લીલ, ફૂગ, બટાટા, કાંદા વગેરે સ્થૂલ અને બીજા નજરેય ન ચઢે તેવા સૂક્ષ્મ શરીરો કે જેના અસંખ્યાતમા અંશના એકેક શરીરમાં અનંતા એકેન્દ્રિય જીવો પુરાય છે, તે શરીરને નિગોદ કહે છે. બહુ પૂર્વે જીવે સૂક્ષ્મ નિગોદની સ્થિતિમાં અનંતાનંત પુદ્ગલ-પરાવર્તના કાળ કાઢયા છે.
પ્ર0 - પુદ્ગલ-પરાવર્ત એટલે ?
ઉ૦ - એકેકે પુગલ-પરાવર્તમાં અસંખ્ય વર્ષો પ્રમાણ સાગરોપમોની વીસ ક્રોડ-ક્રોડ સંખ્યાથી બનેલા કાળચક્રો અનંતા સમાય છે. કેટલા ? અનંતા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org