SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ - હતી; તે મટી જાય છે. આત્માના અપકારી, ભયંકરમાં ભયંકર અપકારી તરીકે સંસારની ઓળખ થાય છે, ત્યારે એવા સંસાર ઉપર સહેજે તિરસ્કાર છૂટે છે, ષ અને ઉગ જાગે છે; જરાય એ રચતો નથી. તેથી આત્મા એમાં આકુળ-વ્યાકુળ રહે છે. એટલે મોક્ષ ઉપરની અરુચિ દ્વષ) ટળીને એવા સંસારથી છૂટવાનો એટલે કે મોક્ષ પામવાનો તીવ્ર અભિલાષ જાગે છે. સંસારનું કરુણ બયાન કેવું? - પ્ર૦ - સંસારનું એવું તે શું કરુણ બયાન છે ? ઉ૦ - સંસારમાં, ઉપર કહ્યું તેમ આત્માની પોતાની જ અનંતજ્ઞાન, અનંતસુખ, અનંતવીર્ય વગેરે સમૃદ્ધિ દબાઈ ગઈ છે. જુઓ દુર્દશા કેવી ! કે લોકાલોકને જોઈ શકવાની તાકાતવાળો આત્મા ભીંતની ઓઠે પડ્યું છે તે દેખી શકતો નથી ! અનંતાનંત કાળની ઘટનાઓને સાક્ષાત્ પેખી શકનારો આત્મા માત્ર એક કલાક પછી શું બનવાનું છે, કે હજી ગયા જ ભવમાં પોતે કોણ હતો, ક્યાં હતો, ને શું શું કર્યું હતું, એટલું પણ નજરે દેખી શકતો નથી! ત્યારે અસલમાં આત્મા અનંત સુખનો ધણી છતાં, આજે એને એક મામુલી સુખ, દા.ત. રસાવાદનું સુખ મેળવવા માટે, ચણા લાવો, દાળ બનાવો, લોટ બનાવો, મસાલા-બસાલા નાખી વેસણ તૈયાર કરો, તાવડી લાવો, તેલ લાવો, ચૂલો લાવો, સળગાવો, ભજિયા કરો, બહુ ઉના નહિ એવી સાવધાનીથી એને ખાઓ... એમ કેટલીય વેઠ કરવી પડે છે ! તેય પેટ ભરીને ખાધા પછી આનંદ તો પાછો પૂરો થઈ જાય છે હવે જો વધારે ખાય તો દુઃખ શરૂ થાય છે. એવી એકેક ઇન્દ્રિયના એકેક વિષયમાંથી સુખ લેવા માટે દિનરાત કેટકેટલા ક્લેશ અને કેટકેટલી પરાધીનતા કરવી પડે છે ! છતાં મિથ્યાત્વના કેફમાં આત્મા અનંત સુખ ભૂલી ઘડીમાં આહાર કરવામાં સુખ કહ્યું છે, તો ઘડીકમાં વિષયમાં; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy