________________
૨૩૩
એની અને મિથ્યાત્વાદિની અસર અત્યંત નબળી પાડી દે છે. એમ કરતાં કરતાં મિથ્યાત્વાદિ નાશ પામે છે. આત્માની જાગૃતિ અને સત્ પુરુષાર્થમાં એ તાકાત છે કે કેઇ કર્મોને અસરરહિત બનાવી દે છે; તેમ મિથ્યાત્વાદિ ભાવોનેય સાવ મંદ કરી દે છે. ક્રમે કરીને સત્ પુરુષાર્થ વધી જતાં સર્વ મોહનો અને સર્વ કર્મનો અંત આવી શકે છે; તેથી મોક્ષ થઇ શકે છે. મોક્ષ અસંભવિત નથી. પુરુષાર્થમાં મિથ્યાત્વાદિ દોષોની વિરોધી શુભ ભાવનાઓ અને શુભ સ્થાનના સેવન સાથે સમ્યક્ત્વાદિ ગુણો માટેની મહેનત આવે; યોગપૂર્વસેવા, ભાવમલક્ષય, અપુનર્બંધકતા, માર્ગાનુસારિતા, યોગબીજસંગ્રહ, યમ-નિયમાદિ, સમ્યક્ત્વ, દાનાદિ, દેશવિરતિ, ભાવશ્રાવકતા, સર્વવિરતિ, પંચાચાર વગેરેનું સેવન આવે.
એટલે એ આવ્યું કે આત્માની સંસારાવસ્થા કાલ્પનિક નથી, પણ વસ્તુગત્યા વિદ્યમાન છે. માટે જ મુમુક્ષુએ એ ટાળવાનો પ્રયત્ન કરવાનો છે. એને ટાળવા માટે ઉપાયો છે, અને તે ઉપાયો સફલ થઇને મોક્ષ અવસ્થા જરૂર પ્રગટે છે. તો અહીં પ્રશ્ન એ થાય કે,
મુમુક્ષુભાવ કેમ પ્રગટે ? -
પ્ર પહેલું તો એ કહો કે મુમુક્ષુભાવ અર્થાત્ મોક્ષની ઇચ્છા શી રીતે પ્રગટે ?
ઉ૦ - મોક્ષ ઉપરનો દ્વેષ ટળ્યાથી મોક્ષરુચિ જાગે. પ્ર૦ મોક્ષ ઉપરનો દ્વેષ શી રીતે ટળે ?
ઉ – જીવની પોતાની સંસાર-અવસ્થાના કરુણ બયાનનો ખ્યાલ કરવાથી, એવો સંસાર અત્યંત અસાર અને નિર્ગુણી ભાસે છે. એટલે અત્યાર સુધી મોક્ષ ઉપર જે અભાવ, અરુચિ રહેતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org