Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 271
________________ ( ૨૨૮ હોત. તેથી તો પછી મોક્ષ સાધવાની ભાંજગડજ નથી રહેતી. મોક્ષ છે જ. પછી “જીવનું અસલ સ્વરૂપ ઓળખો... ઉપાધિમાં ન અટવાઓ...' વગેરે વગેરે ઉપદેશ શા માટે ? ત્યારે જો કહો કે ના, ના, એ ભ્રમણા જીવને જ છે, તો ભલે ભ્રમણાની વસ્તુ કાલ્પનિક હતી; પણ કમમાં કમ ભ્રમણા તો વાસ્તવિક વિદ્યમાન ખરી ને ? તો એ ભ્રમણા હોવી એય સંસારાવસ્થા જ છે, અશુદ્ધ અવસ્થા જ છે. નિશ્ચયથી એટલે કે અસલી સ્વરૂપમાં જીવ આપણો અનંતજ્ઞાન-સુખાદિસંપન્ન હોવા છતાં વર્તમાનમાં આપણે જીવ પોતે જ મિથ્યામતિ ધરનારા, વિકલ્પો કરનારા, રાગીષી બનનારા છીએ, મહાઅજ્ઞાન અને દુઃખી છીએ, એ એક નક્કર હકીકત છે; રખડતા અને કોઇ અદશ્ય તત્ત્વને પરાધીન છીએ એ વાસ્તવિક અનુભવીએ છીએ. નિશ્ચયપ્રેમી નવીનમતીઓ આને શું કહેશે? સાચું કે ભ્રમ? ૨. પ્ર0 - આત્મામાં આ બગાડો શાથી થયો ? ઉ૦ - બિગાડો છે તે મૂળ શુદ્ધ વસ્તુમાં પર (બાહ્ય) તત્ત્વના પ્રવેશ વિના થાય નહિ, એ નિયમ છે. પર ઉપાધિની અસર વિના વસ્તુ વિકૃત અને અશુદ્ધ બને નહિ. જો એવી કોઈ જ પરની અસર નથી અને છતાં વસ્તુ અમુક સ્વરૂપવાળી છે, તો તો પછી એ સ્વરૂપ એનું કાયમી સ્વરૂપ જ બની જશે ! એનું સ્વભાવગત સ્વરૂપ જ હશે ! એટલે તો પછી અનુભવાતી અજ્ઞાનાદિ અશુદ્ધ અવસ્થા પણ જીવનો અસલી સ્વભાવ માનવો પડશે. કિન્તુ એ અસલી નથી એ પણ ચોક્કસ વાત છે, અને જીવનો છે એ પણ નક્કર હકીકત છે. દુઃખ, વિકલ્પો, મિથ્યામતિ, રાગ, દ્વેષ વગેરે કાંઈ જડના ધર્મ નથી. કેમ કે કોઈ જડ અને અનુભવતું નથી. આપણે જીવ જ એને અનુભવીએ છીએ અને પાછા એ જીવના શુદ્ધ સ્વરૂપમાં તો છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322