________________
( ૨૨૮
હોત. તેથી તો પછી મોક્ષ સાધવાની ભાંજગડજ નથી રહેતી. મોક્ષ છે જ. પછી “જીવનું અસલ સ્વરૂપ ઓળખો... ઉપાધિમાં ન અટવાઓ...' વગેરે વગેરે ઉપદેશ શા માટે ? ત્યારે જો કહો કે ના, ના, એ ભ્રમણા જીવને જ છે, તો ભલે ભ્રમણાની વસ્તુ કાલ્પનિક હતી; પણ કમમાં કમ ભ્રમણા તો વાસ્તવિક વિદ્યમાન ખરી ને ? તો એ ભ્રમણા હોવી એય સંસારાવસ્થા જ છે, અશુદ્ધ અવસ્થા જ છે. નિશ્ચયથી એટલે કે અસલી સ્વરૂપમાં જીવ આપણો અનંતજ્ઞાન-સુખાદિસંપન્ન હોવા છતાં વર્તમાનમાં આપણે જીવ પોતે જ મિથ્યામતિ ધરનારા, વિકલ્પો કરનારા, રાગીષી બનનારા છીએ, મહાઅજ્ઞાન અને દુઃખી છીએ, એ એક નક્કર હકીકત છે; રખડતા અને કોઇ અદશ્ય તત્ત્વને પરાધીન છીએ એ વાસ્તવિક અનુભવીએ છીએ. નિશ્ચયપ્રેમી નવીનમતીઓ આને શું કહેશે? સાચું કે ભ્રમ?
૨. પ્ર0 - આત્મામાં આ બગાડો શાથી થયો ?
ઉ૦ - બિગાડો છે તે મૂળ શુદ્ધ વસ્તુમાં પર (બાહ્ય) તત્ત્વના પ્રવેશ વિના થાય નહિ, એ નિયમ છે. પર ઉપાધિની અસર વિના વસ્તુ વિકૃત અને અશુદ્ધ બને નહિ. જો એવી કોઈ જ પરની અસર નથી અને છતાં વસ્તુ અમુક સ્વરૂપવાળી છે, તો તો પછી એ સ્વરૂપ એનું કાયમી સ્વરૂપ જ બની જશે ! એનું સ્વભાવગત સ્વરૂપ જ હશે ! એટલે તો પછી અનુભવાતી અજ્ઞાનાદિ અશુદ્ધ અવસ્થા પણ જીવનો અસલી સ્વભાવ માનવો પડશે. કિન્તુ એ અસલી નથી એ પણ ચોક્કસ વાત છે, અને જીવનો છે એ પણ નક્કર હકીકત છે. દુઃખ, વિકલ્પો, મિથ્યામતિ, રાગ, દ્વેષ વગેરે કાંઈ જડના ધર્મ નથી. કેમ કે કોઈ જડ અને અનુભવતું નથી. આપણે જીવ જ એને અનુભવીએ છીએ અને પાછા એ જીવના શુદ્ધ સ્વરૂપમાં તો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org