________________
૨૨૭
એ જીવના સ્વભાવભૂત ગુણો છે. જીવ જ્ઞાનાદિસ્વભાવવાળો છે. જેમ અગ્નિનો બાળવાનો સ્વભાવ હોય છે, દર્પણનો પ્રતિબિંબ પકડવાનો સ્વભાવ હોય છે, દીપકનો પ્રકાશવાનો સ્વભાવ છે; તેવી રીતે જીવનો અનંત જ્ઞાન, અનંત સુખ વગેરેનો સ્વભાવ છે; અર્થાત્ જીવ શાનાદિગુણમય હોવાની વસ્તુસ્થિતિ છે. એટલે કે જીવદ્રવ્ય સ્વાભાવિક રીતે (૧) અનંતજ્ઞાનમય છે, (૨) અનંતદર્શનમય છે, (૩) અવ્યાબાધ અનંતસુખમય છે, (૪) અનંત ચારિત્રમય છે, (૫) અનંત વીર્યમય છે, (૬) અક્ષય (અજર અમર) છે, (૭) અરુપી છે, (૮) અગુરુલઘુ છે. જીવતત્ત્વ નિશ્ચયથી મૂળરૂપે (અસલી સ્વરૂપમાં) આવું આવું છે; પણ મૂળસ્વરૂપમાં અજ્ઞાન, દુ:ખ, રાગ-દ્વેષાદિ, જન્મ-મરણ ને શરી૨ાકારાતાના સ્વરૂપવાળું નથી. આ અસલી અનંત જ્ઞાન સુખાદિમય અવસ્થા જો પ્રગટ હોય તો એજ જીવની મોક્ષ અવસ્થા છે, સિદ્ધ અવસ્થા છે, શુદ્ધ અવસ્થા છે. જો એ પ્રગટ નથી, પણ પ્રગટપણે તો અજ્ઞાન, દુ:ખ, દેહધારી વગેરે અવસ્થા દેખાય છે, તો એ એની સંસારાવસ્થા છે, અસિદ્ધ અને અશુદ્ધ અવસ્થા છે. ત્યારે અહીં પ્રશ્નો એ થાય છે કે,
-
સંસારાવસ્થા કોની ? ૧. પ્ર૦ - શું આ સંસાર અવસ્થા પણ જીવની વાસ્તવિક સ્થિતિ છે? કે સ્વપ્નવત્ કેવળ ભ્રમણા છે?
ઉ – સંસાર વાસ્તવિક રીતે વિદ્યમાન છે. એ આપણે અનુભવીએ જ છીએ. એ જીવની અશુદ્ધ અવસ્થા છે. એમાં જીવ અજ્ઞાન છે, દુ:ખી છે, શરીરી છે, રાગી છે, દ્વેષી છે વગેરે પ્રત્યક્ષ અનુભવમાં છે. જો એ બધું સ્વપ્નની જેમ ભ્રમણાનું હોત, તો પાછો એ પ્રશ્ન ઊભો જ રહેત કે એ ભ્રમણા કોને ? જો જીવને નહિ પણ કોઇ બીજાને; તો પછી જીવને એ ભ્રમણા પણ નહિ હોવાથી જીવ તો શુદ્ધ જ રહેત, મોક્ષસ્વરૂપી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org