________________
જૈન મતે આત્માની અવગતિ ઉન્નતિનો ઇતિહાસ.
નિશ્ચય-વ્યવહારની મર્યાદાએ મોક્ષમાર્ગની સાધનાનું સ્વરૂપ
પૂ. પ્રખર ન્યાયાચાર્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજની ઉ૫૨ શ્રી નવીન મત કાઢનારે કરેલા વ્યવહારમૂઢતાના આરોપની પોકળતા બતાવવાના પ્રસંગને પામીને અહીં સુધીમાં સમયસાર-પ્રવચનસારાદિ ગ્રંથ, તેના આશ્રમની પ્રવૃત્તિઓ, એના ભાષણો અને એમના ભક્તોના ગુણગાન, વગેરેના આધારે નવા નિશ્ચયપંથનું ઠીક ઠીક આલોચન કર્યું. સાથે સાથે પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રીસર્વજ્ઞકથિત નિશ્ચયમાર્ગનેય કેટલો બધો આવશ્યક માને છે, તેમજ વ્યવહારશૂન્ય એકલા નિશ્ચયમાર્ગને પકડનારની કેવી અજ્ઞાનદશા સૂચવે છે, એ એઓશ્રીના વચનોથી જોયું. છેવટે શ્રી નવીન મત એ કેમ જૈન મત નથી ? એની લેશ વિચારણા કરી. હવે પ્રાંતે વાસ્તવિક જૈન મતે આત્માની અવગતિઉન્નતિનો ઇતિહાસ કેવો છે, એમાં નિશ્ચય-વ્યવહારની મર્યાદા જાળવીને મોક્ષમાર્ગની સાધના કેવા સ્વરૂપે કરવાની કહી છે, એનો સંક્ષિપ્ત વિચાર કરવામાં આવે છે.
-
આત્માનું અસલી સ્વરૂપ : મોક્ષ અને સંસાર શું ? - અનંત જ્ઞાની વીતરાગ પરમાત્મા શ્રી તીર્થંકર ભગવાન ફરમાવે છે કે જગતમાં મુખ્ય તત્ત્વ બે - ચેતન અને જડ; અર્થાત્ જીવ અને અજીવ, આમાં ચેતન જીવતત્ત્વ ચૈતન્યવાળું એટલે કે જ્ઞાનાદિગુણ સંપન્ન છે. ન્યાયદર્શનાદિના મતની જેમ આ જ્ઞાનાદિગુણો જીવમાં કાંઇ બહારથી નવા આવીને ઉત્પન્ન નથી થતા; પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org