SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ (૮) નવીન મત દ્રવ્યદૃષ્ટિ કેવળ શુદ્ધ આત્મ દ્રવ્યને ત્રિકાલ અવિકારી અ-પરાધીન, ઇત્યાદિરૂપે જોવાનું કહે છે; તેથી તે સાંખ્યમતનું અનુકરણ કરે છે. કેમ કે સાંખ્યો પણ પુરુષ એટલે કે આત્માને સર્વદા નિરંજન-નિરાકાર-નિર્વિકાર કુટસ્થ નિત્ય માને છે, અને એ રીતે ભાન કેળવી પ્રકૃતિથી ભેદ-શાન કરવાનું કહે છે. જેમ સાંખ્યમત એ જૈનેતર મત છે, તેમ નવીન મત એ જૈનેતર ઠરે છે. જૈન મત તો અનેકાંત શૈલીથી પર્યાય દૃષ્ટિ પણ જાગૃત રાખવાનું કહે છે. કેમ કે અનેકાંત શૈલીથી આત્મા વિકૃત, સાકાર, સાંજન પણ છે. એમાં પણ સંસારી જીવમાં અપ્રશસ્ત વૃત્તિઓ અને બંધનોના પર્યાયો જોરદાર છે. એટલે કે અપ્રશસ્ત રાગ-દ્વેષાદિ અને પાપકર્મના બંધનો ખૂબ છે. ત્યાં સાધકે એ જોતા રહેવું જોઇએ કે ‘શ્રી વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર દેવોએ અને એમના પગલે ચાલીને સદ્ગુરુઓએ મને તત્ત્વદર્શન કરાવ્યું, માર્ગ સૂઝાડ્યો; તેથી હવે તો જગતને મૂકી દેવ-ગુરુના જ આશરે રહું, એમની જ મમતા, ને એમનો જ પક્ષ ધર અને સાંસારિક કાર્યવાહી છોડી દેવ-ગુરુએ ફરમાવેલી કાર્યવાહીરૂપ કાયિક વાચિક માનસિક અનુષ્ઠાનો આદરું.' - આ શું કર્યું? આત્માને પહેલાં તો અશુભ પર્યાયોથી મુક્ત કરવા શુભ પર્યાયોવાળો બનાવવાનું ધાર્યું. પાછું એમાં કેટકેટલી પ્રગતિ થઇ તે પણ જોતા રહેવાનું કર્યું. એમાં શુભાનુષ્ઠાનને અનુલક્ષીને પર્યાયદૃષ્ટિ જાગૃત રાખવાની વાત આવી. અરે, એથી ય આગળ જુઓ કે પોતાના આત્માને સમયાંતર ઉપયોગવાળા કેવળજ્ઞાન અને કેવળદર્શન તથા ક્ષાયિક ચારિત્રના શુદ્ધ પર્યાયવાળો બનાવવાની ધારણામાં પણ અશુદ્ધ પર્યાયો દૂર કરી શુદ્ધ પર્યાયો પ્રગટાવવાની દૃષ્ટિ આવી; એટલે કે પર્યાયષ્ટિ આવી. ત્યાં નવીન મત એકલી દ્રવ્યદૃષ્ટિ કેળવવાનું કહે, એથી એ જૈનેતર મત ઠરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy