________________
૨૨૯
નહિ. તેથી જ સાબિત થાય છે કે કોઈ પર-તત્ત્વની વેઠ જીવને વળગી છે, પર-તત્ત્વના સપાટે જીવ ચઢ્યો છે, કે જેથી એનું અજ્ઞાન દુઃખાદિનું અશુદ્ધ સ્વરૂપ જીવમાં આવ્યું છે.
કર્મની અસર વિના જીવમાં એમને એમ અશુદ્ધિ નહિ – પરની ફસામણ વિના જીવ કાંઈ મૂર્ખ નથી કે એમને એમ પોતે ને પોતે પોતાની જાતે જ અશુદ્ધ બની જાય; રાગાદિ કરતો રહે અને મનુષ્યાદિ સ્વરૂપવાળો બન્યો રહે. એ તો પરદ્રવ્યની અસર નીચે જ બને. દૂધને બહારની ગરમ હવાની અસર થાય છે તો બગડે છે; ગરમાગરમ સ્વાદિષ્ટ ચાહને ચાર છ કલાક બહારની ઠંડી હવાની અસર થાય છે, તો બગડે છે; તેમ જીવને બહારના એટલે કે પર એવા કર્મ દ્રવ્યની અસર છે, પર એવા કર્મપુદ્ગલના વિપાક-કે ઉદયની અસર છે, તો એ બગડ્યો છે; તો જ એનામાં પ્રગટપણે અનંતજ્ઞાનમયતા નહિ, પણ અજ્ઞાનમયતા છે; પ્રગટપણે સ્વાભાવિક સુખમયતા નહિ, પણ દુઃખની રીબામણો છે; પ્રગટપણે વીતરાગતા નહિ, પણ રાગ-દ્વેષી અવસ્થા છે. જીવની કેવી કરુણ દશા !! એ કર્મની બેડીઓ તૂટી જાય તો આ સંસારાવસ્થાનો બિગાડો મટે અને મોક્ષ અવસ્થા, અસલી સંપૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટે. માટે જ તત્ત્વાર્થ-સૂત્રકારે “ત્રવર્તક્ષયો મોક્ષ: ” કહ્યું. “સમસ્ત કર્મનો ક્ષય' એ મોક્ષ કહ્યો, પણ “બિગાડાનો ક્ષય એ મોક્ષ' એમ ન કહ્યું. કેમ કે બિગાડાનું ખાસ કારણ કર્મ છે. કર્મ નાશ પામ્યથી બિગાડો તો આપોઆપ મીટી જવાનો છે. એટલે એ આવ્યું કે સંસારઅવસ્થા એ જીવની પોતાની વાસ્તવિક હકીક્ત છે. એ દશા એક એવી વસ્તુ છે કે જે પર એવા કર્મદ્રવ્યની અસરથી બનેલી છે. કર્મના નિમિત્તથી બનેલી છે. તેથી નવીન મત જે માને છે કે “પરદ્રવ્યની અસર પડી શકતી નથી, પરદ્રવ્ય નિમિત્ત બની શકતું નથી, તે પ્રમાણ વિરુદ્ધ છે, અસત્ય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org