________________
૨૩૦
કર્મની અસર હોવામાં બીજું કારણ આનું એક બીજું પણ કારણ એ છે કે જો કર્મની અસરના હિસાબે નહિ પણ જીવની પોતાની માત્ર પૂર્વ પૂર્વના રાગાદિ અશુદ્ધિના હિસાબે જ વર્તમાનમાં રાગ, અજ્ઞાન, શાતા, યશ વગેરે અશુદ્ધિ પ્રગટ દેખાય છે, એમ કહેવામાં આવે તો પ્રશ્ન એ ઉઠે છે કે કેવળજ્ઞાની વીતરાગ બનેલા આત્માને તો રાગાદિ અશુદ્ધિ મટી ગઇને ? તો હવે એમને વેદનીય અવસ્થા, શરીરાકાર અવસ્થા, આયુ, યશ અવસ્થા વગેરે શાથી ? બીજું, પૂર્વનો રાગ વર્તમાનમાં રાગ કરાવે એ બન્ને, પણ વર્તમાનમાં અનુભવાતી પ્રગટ શાતા એ પૂર્વના કયા આંતરિક કારણે ? વર્તમાનમાં અશાતા, ઇન્દ્રિયો, ગમનાગમનાદિ ક્રિયા વગેરે કયા કયા કારણે ? વળી એ કર્મના ઉદયને બરાબર કેમ અનુસરે છે ? આ બધાનું સમાધાન પર એવા કર્મદ્રવ્યની પ્રબળ નિમિત્તતા માનવાથી જ થઇ શકે. તો જ કહી શકાય કે વીતરાગ સર્વજ્ઞ બનેલા આત્માને પણ હજી અઘાતી કર્મના ઉદયરૂપી બંધન જે વર્તે છે; તે કર્મ બધા કેવળજ્ઞાન પામવાની સાથે એક જ સમયમાં પાકી જાય એવાં નથી, પરંતુ ક્રમે ક્રમે પાકી પાકીને ઉદયમાં આવનારા છે. તેથી મોક્ષ થવાને વિલંબ લાગે છે.
Jain Education International
આત્મા પર કર્મની અસર છે જ, એનું ત્રીજું કારણ - ઘાતી અને અઘાતી કર્મોમાં તફાવત પણ આ રીતે છે કે ઘાતી કર્મો આત્માની શુદ્ધતાને બગાડે છે; ત્યારે અઘાતી કર્મો આત્માની સ્વતંત્રતાને આક્રમે છે, દબાવે છે. તેથી વીતરાગ-સર્વજ્ઞતા આવીને, જીવ શુદ્ધ બનવા છતાં, એનામાં હજી સ્વતંત્રતા નથી આવી, એને હજી અઘાતી કર્મની અસર મુજબ વર્તવું પડે છે. કર્મ આત્માની શુદ્ધતા-સ્વતંત્રતાને આક્રમતા ન હોય તો કર્મના બે વિભાગ શા ? ૫૨ દ્રવ્યની અસર તો ત્યાં સુધી છે કે મોક્ષ પામતી વખતે અહીં શરીર જેવા આસને હોય છે, તેવા જ આસને
-
For Private & Personal Use Only
www.jainelibrary.org