________________
આત્મા બહાર નીકળી સિદ્ધશિલા ઉપર સદાકાળ માટે અવસ્થિત રહે છે. એમ કર્મની અસર નીચે આત્મા સંસારીપણે રહે છે.
૩. પ્ર૦ આત્મામાં સંસારાવસ્થા ક્યારથી થઇ ? ઉ૦ -જયારથી કર્મનો સંબંધ છે ત્યારથી સંસારાવસ્થા છે.
૪. પ્ર૦ - કર્મનો સંબંધ ક્યારથી છે ?
ઉ કર્મસંબંધ છે.
૨૩૧
જ્યારથી કર્મસંબંધ થવાના કારણો છે ત્યારથી
૫. પ્ર૦ - કર્મસંબંધ થવાના શા કારણો છે અને જીવે તે ક્યારથી સેવવા માંડ્યા ?
ઉ૦ - કર્મસંબંધ થવામાં કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપી આસ્રવો છે. જીવ એ મિથ્યાત્વાદિ આસવો સેવે છે તેથી કર્મના બંધનથી બંધાય છે. મિથ્યાત્વ વગેરેને સેવવાનું કારણ એ મિથ્યાત્વાદિને યોગ્ય પૂર્વ કર્મના ઉદય છે, તેમ સાથે સાથે જીવનો અવળો પુરુષાર્થ પણ કારણભૂત છે.
૬. પ્ર૦ - તો તો મિથ્યાત્વના હેતુભૂત એ પૂર્વ કર્મ પણ મિથ્યાત્વાદિને લીધે જ બંધાયા હશે ને ? અને એ મિથ્યાત્વાદિ પાછા એનાથી પૂર્વના કર્મસંબંધને લીધે હશે ? એમ હોય તો એની મૂળ શરૂઆત ક્યારથી થઇ ?
Jain Education International
કર્મ અને કર્મકારણની ઘટમાળ અનાદિથી -
ઉ૦ વાત સાચી છે કે વર્તમાનમાં થતો કર્મ-સંબંધ જાગેલા મિથ્યાત્વાદિને લીધે છે. એ મિથ્યાત્વાદિ પૂર્વ કર્મના કારણે જાગે છે. એ પૂર્વનાં કર્મ પાછા ત્યાં જાગતા મિથ્યાત્વાદિના લીધે જ જન્મ્યા હતા. ત્યાંના એ મિથ્યાત્વાદિ વળી એનાથી પૂર્વના કર્મના લીધે જાગ્યાં હતાં. એમ પૂર્વે પૂર્વે કર્મ, મિથ્યાત્વાદિ,
For Private & Personal Use Only
www.jainelibrary.org