Book Title: Nayamrutam Part 02
Author(s): 
Publisher: Shubhabhilasha Trust

View full book text
Previous | Next

Page 10
________________ (૬) ઉપદેશ અને કથાસાહિત્ય બહુ મોટા પ્રમાણમાં ગુજરાતી પદ્યમાં અવતર્યું. સાથે જ નય જેવા ગંભી૨ વિષયનું સાહિત્ય પણ સ૨ળ ગુજરાતી પદ્યમાં ઉતર્યું. એ ગૌ૨વ લેવા જેવી ઘટના છે. (૨.૧) સપ્તનય વિવરણ રાસ સહ બાલાવબોધ આ દ્રવ્યાનુયોગ વિષયક કૃતિ છે. આ કૃતિના કર્તા પૂ. ઉપા. શ્રી માન વિ.મ. છે. તેઓ ધર્મસંગ્રહના રચયિતા છે. તેમની નાની મોટી ૨૪ કૃતિઓ ઉપલબ્ધછે. ૧) ‘ભવભાવના બાલાવબોધ' આ. શ્રી હેમચંદ્રસૂરિકૃત ‘ભવભાવના’ પર (ગ્રંથાપ્ર-૩૬૦૦) (૨. ઇ. ૧૬૬૯), ૨) ‘સુમતિકુમતિ (જિનપ્રતિમા) સ્તવન’ (કડી- ૧૭) (૨.ઇ. ૧૬૭૨), ૩) ‘ગુરુતત્ત્વપ્રકાશ રાસ’(કડી- ૨૧) (૨.ઇ. ૧૬૭૫, મુદ્રિત), ૪) ‘તત્ત્વવિચારબોધક સપ્તનયવિચા૨ગર્ભિત સ્તવન/સપ્તનયવિવરણરાસ' (૧પ ઢાળ અને ૧૮૯ કડી) (૨.ઇ. ૧૬૭૫ આસપાસ, મુદ્રિત), ૫) ‘નવતત્ત્વપ્રકરણ બાલાવબોધ’(ગ્રંથાગ્ર- ૧૩૫૦) (૨.ઇ. ૧૬૬૯), ૬) ઉત્તરાધ્યયનસૂત્ર બાલાવબોધ’ (૨.ઇ. ૧૬૮૩/સં.૧૭૪૧, પોષ સુદ ૧૩), ૭) ‘આઠ મદની સજ્ઝાય’ (કડી-૧૦) (મુદ્રિત), ૮) ‘આદિનાથ સ્તવન’(૪ ઢાળ), ૯) ‘આંબિલતપ શ્રીસિદ્ધચક્ર સ્તવન' (કડી- ૨૫, ઢાળ ૪) (મુદ્રિત), ૧૦) ‘ગુણસ્થાનગર્ભિત શાંતિનાથવિજ્ઞપ્તિરૂપ સ્તવન’ (કડી-૮૫), ૧૧) ‘ચોવીશ જિનનમસ્કાર’, ૧૨) ‘ચોવીશી’ (મુદ્રિત), ૧૩) ‘નમસ્કારછંદ’ (કડી- ૩૦), (મુદ્રિત), ૧૪) ‘નમસ્કાર સજ્ઝાય’ (કડી- ૫૬), ૧૫) પચ્ચક્ખાણ સબ્ઝાય’, ૧૬) ‘પાર્શ્વનાથસ્થવિર સજ્ઝાય' (કડી- ૯), ૧૭) ‘માર્ગાનુસારી ગુણ સજ્ઝાય’ (કડી- ૧૭) (મુદ્રિત), ૧૮) મોહ૨ાજકથાગર્ભિત જિનવિનતિરૂપ મહાવીરજિન સ્તવન’(કડી-૫૩, ઢાળ-૬) (મુદ્રિત), ૧૯) ‘શ્રાવકના એકવીશગુણની સજ્ઝાય’ (કડી- ૧૧) (મુદ્રિત)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 202