Book Title: Navo Prakash
Author(s): Vidyavijay
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 10
________________ દીક્ષાઓ આપીને સાધુ સંખ્યાની વૃદ્ધિ કરનારા ભલે સંખ્યા દેખીને ખુશી થતા હોય, પરંતુ ખરી રીતે સાધુ સંસ્થાની કિંમત ઘટાડી રહ્યા છે. અગ્ય દીક્ષાએનાં જે અનિષ્ટ ફળ સાધુએ ચાખી રહ્યા છે એ એમને આત્મા જાણે છે. આજે આવી અગ્ય દીક્ષાએને જ પ્રતાપ છે કે છાશ વારે ને છાશ વારે કપડાં ઉતારી ઉતારીને સાધુઓ ચાલતા થાય છે. કેટલાક નથી ચાલતા થતા તે સાધુ વેષમાં રહીને પણ આખા સાધુ સમુદાયને કલંક લગાડી રહ્યા છે. અને એનું જ એ પરિણામ છે કે અજેના પત્રો અને અનેક સમાજોમાં જૈન સાધુઓની અનિચ્છનીય જુઠી નિંદાઓ પણ થવા લાગી છે. કુદરતના નિયમ પ્રમાણે જે માણસ સ્વયં પતિત થાય છે તે પોતાના પાપે ઢાંકવાને બીજામાં અસંભવિત અને જુઠા દેને આરેપ કરવાને તૈયાર થાય છે. એક દુરાચારી પુત્રને માતા પિતા દૂર કરે ત્યારે તે ક્કી નહિં કહેશે કે મારા દેષથી મને દૂર કર્યો છે. તે માતાપિતાને દેષ કાઢવા તૈયાર રહેવાને. સાધુધર્મથી ભ્રષ્ટ થઈ ગૃહસ્થ થનારા આજે કેટલાએ પતિત આત્માઓ આખા સાધુ સમુદાયને કલંકિત ઠરાવી રહ્યા છે. સમુદાયથી બહિષ્કૃત થનારા આજે કેટલાએ વેશધારીઓ તે તે સમુદાયને કલંકિત ઠરાવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40