Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 199
________________ નગર શાંતિદાસ ઝવેરી - આ ફરમાન નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના મૃત્યુ પછી, એમને આપવામાં આવ્યું છે એ વિકલ્પ પણ સ્વીકારી શકાય તેમ નથી. પણ તેમના મૃત્યુની આ સંવત્ – સં. ૧૭૧૫– અને આ ફરમાનની તારીખ-૧૨મી માર્ચ ૧૬૬૦– વચ્ચે ખાસ નોંધપાત્ર કહી શકાય એવો ફરક નથી; એક વર્ષ કરતાં પણ એ ફેર છે. એટલે આ સમયને ફેર આપણને ખૂબ મોટી વિમાસણમાં મૂકી દે તેવો નથી. ઈ. સ. ૧૯૫૯-૬૦ના સમયગાળા દરમ્યાન જ તેમનું મૃત્યુ થયું હશે એ વાત તે નિશ્ચિત છે જ. છતાં “શ્રી રાજસાગરસૂરિનિર્વાણ રાસ” અને આ ફરમાનની તારીખ વચ્ચે જે ફરક છે તેને ઉકેલ ભવિષ્યમાં કઈક સાહિત્યિક ઉલ્લેખ દ્વારા મેળવવાની આશા આપણે રાખીએ શકીએ.૧૨ - કે, શ્રીયુત ડુંગરશીભાઈ તા. ૧રમી માર્ચ ૧૬૬૦ના દિવસે મળેલ આ ફરમાન સંબંધી નેંધ લખતાં જણાવે છે: “શ્રી શાંતિદાસ શેઠ પિતાની છેલ્લી પાદશાહી મુલાકાતનાં ફળ જોવા હૈયાત નહેતા.૧૩ તેમનું આયુષ્ય કેટલાં વર્ષનું? નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી ઈ. સ. ૧૯૫૯-૬૦ની સાલમાં મૃત્યુ પામ્યા છે તે નિશ્ચિત હકીકત છે જ. પ્રશ્ન એ થાય કે તેઓ પોતાના આયુષ્યના કેટલામાં વર્ષે મૃત્યુ પામ્યા હશે ? અથવા તે બીજા શબ્દોમાં આ પ્રશ્ન મૂકીએ તે તેઓએ કેટલાં વર્ષનું આયુષ્ય ભગવ્યું? પણ, આપણે જાણીએ છીએ તે પ્રમાણે તેમના જન્મ અંગે કોઈ ચોક્કસ સાલ આપણને પ્રાપ્ત થતી નથી. ઈ. સ. ૧૬૦૫માં મૃત્યુ પામેલ અકબર બાદશાહના રાજ્યમાં જે શાંતિદાસ શેઠ ઝવેરી તરીકે ઝળક્યા હોય તે તે સમયે તેમની ઉંમર પંદર વર્ષથી ઓછી તે ન જ હેય. એટલે તેમને જન્મ આપણે ઈ. સ. ૧૫૮૫-૯૦ની આસપાસ મૂક જ પડે. ૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250