Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 198
________________ શ્રી શાંતિદાસને પરિવાર અને સ્વર્ગવાસ ૧૬૯ આ ફરમાન તા. ૧૨મી માર્ચ ૧૯૬૦ના દિવસે અપાયું હતું એ હકીકત અહીં ઉલ્લેખનીય છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે જે સંવત્ ૧૭૧૫ની સાલ કે જે સંવત્ ૧૬૫ત્ની પમી ઓકટોબરે પૂરી થાય છે, તેમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી મૃત્યુ પામ્યા હોય તે કાં તે આ ફરમાન શ્રી શાંતિદાસ ઝવેરીના મૃત્યુ પછી એમની પાસે પહોંચ્યું હશે અથવા તે “રાજસાગરસૂરિનિર્વાણ રાસમાં આપવામાં આવેલ સંવતમાં કંઈક ફરક હશે અથવા તે આ ફરમાનની તારીખ માં કંઈક ફેર હશે. જે સંવત ૧૭૧પમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી મૃત્યુ પામ્યા હેય તે તેઓ તા. ૫મી ઓકટોબર ૧૬૫–ા દિવસ પહેલાં મૃત્યુ પામ્યા હોવા જોઈએ, કારણ કે છઠ્ઠી ઍકટોબર ૧૬૫લ્થી સંવત્ ૧૭૧૬ શરૂ થતી હતી. જ્યારે આ ફરમાન તે છેક ૧૨મી માર્ચ ૧૯૬૦ના દિવસે આપવામાં આવ્યું હતું. “શ્રી રાજસાગરસૂરિ નિર્વાણ રાસ” સંવત્ ૧૭રરમાં, એટલે કે નગરશેઠ શાંતિદાસ ઝવેરીના મૃત્યુ પછી સાતેક વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જ ચા હેવાથી અને તેમાં રજૂ થયેલ અન્ય ઘટનાઓ પણ વિશ્વાસપાત્ર હેવાથી તે અંગે પણ શંકા કરી શકાય તેમ નથી. એટલે “શ્રી રાજસાગરસૂરિ -નિર્વાણ રાસમાં આપવામાં આવેલ સંવત્ છેટી હોવાને કંઈ કારણ નથી. વળી જે, ફરમાનને અહીં ઉલ્લેખ કર્યો છે તે ફરમાન પણ તેના મૂળ રૂપમાં સચવાયેલ છે એટલે તે અંગે પણ શંકા કરી શકાય તેમ નથી. વળી હીજરી સનને આધારે ઈ. સ. ની તારીખ નક્કી કરવામાં આવી હોય તે પણ “10th of Rajab H. 1070” એટલે “March 12, 1660” એ તારીખ ખાસ ભૂલ વગરની છે. એક બીજા મત અનુસાર આ તારીખ “રરમી માર્ચ ૧૯૬૦ હોઈ શકે, પણ તેથી તેમની મૃત્યુની તારીખ સાથે તે એના મેળા એસતે નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250