Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 230
________________ પરિશિષ્ટ ૨૦૧ ૧૮૫૬માં અમદાવાદમાં “હઠીસીંગ એન્ડ પ્રેમાભાઈ હપિટલ' કે જે અત્યારે જૂની સિવિલ હોસ્પિટલ” (ઘીકાંટા) તરીકે પ્રસિદ્ધ છે તેને બંધાવવા અને નિભાવવા માટે રૂ. ૨૨,૧૫૦ આપ્યા હતા. આ હોસ્પિટલમાં તેમના બનેવી શ્રી હઠીસી ગ શેઠે રૂા. ૪૦,૦૦૦ આપેલ હતા તેથી તેઓ બંનેના સંયુક્ત નામે આ હેસ્પિટલ સ્થાપવામાં આવી હતી.) ઈ. સ. ૧૮૫૭માં પિતાના પિતાના નામે “હીમાભાઈ ઈન્સ્ટિટ્યૂટ’ નામનું પુસ્તકાલય સ્થાપવા માટે રૂા. ૭૦૫૦ આપ્યા હતા.૪૩ ઈ. સ. ૧૮૫૭માં ગુજરાત કૅલેજ માટેના ફંડમાં રૂ ૧૦,૦૦૦ અને તે જ વર્ષે મુંબઈની ગ્રાંટ મેડિકલ કોલેજમાં દર વર્ષે પાસ થનાર પ્રથમ વિદ્યાર્થીને સુવર્ણચંદ્રક આપવા માટે રૂા. ૧૮૦૦ આપ્યા હતા. ઈ. સ. ૧૮૬૩માં મુંબઈના વિકટોરિયા ગાર્ડન અને આબર્ટ મ્યુઝિયમના ફંડમાં રૂા. ૧૩૫૦ અને પાછળથી ઈ. સ. ૧૮૬૪માં મુંબઈના “વિકટોરિયા ગાર્ડન-રાણીબાગ'માં દરવાજા, બગીચો, રેલિંગ વગેરે બનાવવા માટે રૂ. ૧૦,૦૦૦ આપ્યા હતા. તે ઉપરાંત અમદાવદની વિદ્યાકીય સંસ્થા “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી”ના ફંડમાં રૂા. ૨૦૦૦ આપેલ હતા.૪૪ તેમની આ ઉદાર સખાવતે એ વાતનું સૂચન કરવા માટે પૂરતી છે કે પિતે જે સમાજમાં રહેતા તે સમાજ ને સર્વાગીણ વિકાસ થાય તેવાં કાર્યોને પ્રેત્સાહન આપવામાં તેઓ આર્થિક રીતે સદાય મદદરૂપ રહેતા. રાજકીય દષ્ટિએ જોતાં પણ નગરશેઠ પ્રેમાભાઈની સેવાઓનું મૂકય ઓછું નથી. વ્યાપારી સંબંધના કારણે ગામ-પરગામન્નાં તેમની પેઢીઓ વચ્ચે ખાનગી ટપાલે નિયમિત રીતે લાવવા-લઈ જવા માટે તેમણે પિતાની વ્યવસ્થા ઊભી કરેલી. ઈ. સ. ૧૮૫૭માં બ્રિટિશ સરકાર સામે પ્રજાએ બળ પિકાર્યો તે વખતે બળવાખોરોએ તારનાં દેરડાં કાપી નાખ્યાં ત્યારે મધ્ય ભાસ્તના સમાચાર મેળવવામાં બ્રિટિશ સરકારને ભારે મુશ્કેલી અનુભવવી પડતી હતી. રેલવે, તાર, ટપાલનાં સાધના અભાવમાં અમદાવાદ અને ઈદેર વચ્ચે સંદેશાવ્યવહાર માટે સરકારને પ્રેમ ભાઈ શેઠે પિતાની ખાનગી ટપાલ વ્યવસ્થાની મદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250