Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 240
________________ - પૂરવણી “શ્રી ચિંતામણિપ્રશસ્તિ ની હસ્તપ્રત અંગે આ પુસ્તકના “શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર' નામે આઠમા પ્રકરણમાં પૃ. ૮૪-૮૭ ઉપર આ દેરાસરને લગતી એક કૃતિ “શ્રી ચિંતામણિપ્રશસ્તિ'ને ઉલ્લેખ છે. આ જ પ્રકરણની પાદધ નં. ૭ (પૃ. ૧૦૨) માં જણાવવામાં આવ્યું છે, “આ પ્રશસ્તિની એક અશુદ્ધ નકલ રોયલ એશિયાટિક સેસાયટીની મુંબઈ શાખામાં સચવાયેલી છે. તેને નંબર “વે. નં. ૧૭૫૬’ છે.. - કુલ ૮૬ શ્લોકોની ઉપર્યુક્ત પ્રશસ્તિની નકલ હસ્તપ્રતના પાનાંના રૂપમાં છે. આ હસ્તપ્રતના ચાર પાનાંના ફેટોગ્રાફર્સ પં. શ્રી લક્ષમણભાઈ ભોજક (લા.દ. વિદ્યામંદિર, અમદાવાદ-૯) પાસેથી પ્રાપ્ત થઈ શક્યા તે આનંદને વિષય છે. ઉપર સૂચવ્યું તેમ આ હસ્તપ્રતની નકલ ખૂબ અશુદ્ધ રીતે, ખાસ કરીને અક્ષરના મરેઠ ઉકેલી ન શકાય તે રીતે કરવામાં આવેલી છે. છતાં ભવિષ્યમાં કયારેક કોઈને પણ સંશોધનમાં ઉપયોગી થાય તેવા વિચારથી પ્રેરાઈને તે પ્રતના ચારેય પાનાંના ફટાઓ આ પુસ્તકમાં આપવામાં આવેલ છે. ૫. શ્રી લક્ષ્મણભાઈ ભેજક જુદા જુદા કાળે જુદા જુદા મોડમાં લખાયેલ હસ્તપ્રત, તામ્રપત્ર વગેરેની લિપી ઉકેલવામાં ખૂબ દુર્લભ કહી શકાય તેવું કૌશલ્ય ધરાવે છે. પરંતુ ઉપર્યુક્ત “શ્રી ચિંતામણિ–પ્રશસ્તિ ની હસ્તપ્રતના ચાર પાનાંના લખાણને ખૂબ પ્રયત્ન છતાં તેઓ આખું ઉકેલી શક્યા નથી. તેમણે આ હસ્તપ્રતના લખાણને ઉકેલવામાં જે પ્રયત્ન કર્યો તેના ફળરૂપે જે તૂટક તૂટક લખાણ પ્રાપ્ત થાય છે તે કદાચ કઈકને ઉપયોગી થાય તેમ લાગવાથી અહી તે આપવામાં આવે છે. શ્રી ચિંતામણિ-પ્રશસ્તિની હસ્તપ્રતના ઉકેલી શકાયેલા પાઠશે : महोपाध्याय श्री ६ सत्यसौभाग्यगणिगुरुभ्यो नमः । तैः प्रत्यूहमुतां कृतधियं श्री पार्श्वचिंतामणे । स्त्युशैत्यूलसिवोसितगूज्यादद्वयतीसद्गणैः । साम्राज्ये विदधीत्य सद्विपदलप्रस्थोऽखिलोपस्तव योद्धै राज्यकथामपि त्रिभुवने निर्मूलफुलंलयत् ॥१॥ उद्धर्ताजगतीत्रयीमितिविदनजिहीयभोगीश्वर । श्वेत्ताध्वातवमूमहर्तिशमितिस्पष्टचवनेश्वर । कल्याकल्पपुदार्थमसकृद्दातेतिदेव द्रुमा । अस्मिन् जातवतिक्षितौ स भगवान् श्रीआश्वसेनिःश्विये ॥२॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250