Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 205
________________ ૧૭૬ નગરશેઠ શાંતિદ્વાસ ઝવેરી : રીતે તે મૂળ ક્ષત્રિય રાજવંશમાંથી આવેલ હેાવાથી તેમના વ્યકિત. ત્વમાં ક્ષત્રિયામાં જોવા મળતા ક્ષાત્રતેજના ગુણ જોવા મળે છે. તે જ્ઞાતિએ એસવાળ હેાવાથી ‘ઓસવાળ ભૂપાળ’ એ ઉકિતને સાર્થંક કરે તેવા રાજતેજના ગુણના પણ તેમના વ્યકિતત્વમાં સમાવેશ થયેલે જોવા મળે છે. આ રાતેજને કારણે જ તેએ સવ માન્ય મહાજનપદ અને નગરશેઠપદ જેવાં સ્થાનાએ પહેાંચી શકયા છે એમ કહી શકાય. વળી તેઓ પધાથે વણિક હાવાથી વણિક જ્ઞાતિમાં જોવા મળતી વેપાર-વણુજની આવડત પણ તેમનામાં જોવા મળે છે. આમ એક સાથે ક્ષાત્રતેજ, રાજતેજ અને વેપાર-વણુજની આવડત — આ ત્રણ ગુણાના ભાગ્યે જ જાવા મળતા એવા ત્રિવેણીસરગમ તેમના વ્યક્તિત્વમાં જોવા મળે છે. તેમના વ્યકિતત્વને ત્રણ પાસાંમાં વહેંચીને સમજવાના આપણે પ્રયત્ન કરીએ તે તેના આધારે તેમના વ્યક્તિત્વનું એક સુરેખ ચિત્ર આપણે ઊભું' કરી શકીશુ. તેમની કારિકદીની શરૂઆત જ મેગલ રાજદરબારથી થયેલી જોવા મળે છે. એટલે તેમના વ્યક્તિત્વમાં ખીલેલાં રાજકીય પાસાને પ્રથમ જોઈ ને બાકીનાં બે પાસાંના તેમનામાં થયલે વિકાસ આપણે પછી જોઈશું. તેમના વ્યક્તિત્વનું રાજકીય પાસું શુદ્ધ ક્ષત્રિય ગણાતા સીસેાદીઆ રજપૂતના વંશજ, સહસિકરણના પુત્ર શાંતિદાસ યુવાન વયે અકબરના રાજદરખારમાં ઝવેરી તરીકે ઉપસ્થિત થયા હતા એમ કહેવાય છે. જેમના જન્મ સમયની માહિતીને અભાવ છે તેવા યુવાન શાંતિદ્યાસના જન્મ વિષે કલ્પના કરી શકાય કે અકબરના રાજદરબારમાં ઉપસ્થિત થતા શાંતિદાસની ઉંમર ૧૫-૨૦ વની તા સહેજે હાય; અને બાદશાહ અકખર ઈ. સ. ૧૬૦૫ માં મૃત્યુ પામ્યા, એટલે શાંતિદાસનો જન્મ ઈ. સ. ૧૫૮૫-૯૦ આસપાસ થયેા હાવા જોઈએ, એમ અનુમાન કરી શકાય. ધંધાકીય દૃષ્ટિએ એક ઝવેરી તરીકે તે બાદશાહ અકબર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250