Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 215
________________ ૧૮૬ નગરશેઠ શાંતિદાસ ઝવેરી | ગુજરાતમાં મરાઠાઓના આક્રમણના સમય દરમ્યાન છવાયેલ અંધાધૂધી અને લૂંટફાટ તેમ જ અવ્યવસ્થાના સમયમાં તેઓ પિતાના વેપારને વિકાસ તે કદાચ એ છે કરી શક્યા હતા, પરંતુ તેમની ધીધાર માટી હતી અને રાજતંત્ર બદલાઈ જતાં જે કંઈ મેટી ખોટ આવે તે નવી સત્તાને મળીને આગલા નાણાં વસૂલ કરી લેવાની આવડત પણ તેમની પાસે હતી. ધાર્મિક આચાર-વિચાર ધરાવનાર અને ખૂબ ભાવનાશીલ એવા આ નગરશેઠે પિતાની આવડત અને મુત્સદ્દીગીરીથી અમદાવાદ શહેરના કરેલા બચાવને પ્રસંગ સવિશેષ નેંધપાત્ર છે. આ પ્રસંગની વિગતે જોઈએ. દિલ્હીમાં બાદશાહ મુહમ્મદશાહની રાજસત્તા હતી તે સમય (ઈ. સ. ૧૭૧૯ થી ૧૭૪૮) દરમ્યાન નગરશેઠ ખુશાલચંદ અમદાવાદના નગરશેઠ તરીકે ખૂબ સક્રિય જીવન જીવી ગયા તે સમયગાળા દરમ્યાન આ પ્રસંગ છે. ' ઈ. સ. ૧૭૨૨ ના અંતભાગમાં બાદશાહ મુહમ્મદશાહે પિતાના મહાન વઝીર નિગમ-ઉલ-મુલકને ગુજરાતના વાઈસરોય તરીકે નીમ્યા હતા. પરંતુ નિઝામ-ઉલ-મુકે માળવા સુધીના પ્રદેશની કાર્યવાહી પિતાની હસ્તક રાખી અને ગુજરાતમાં તેમણે પિતાના કાકા હમીદ. ખાનને પિતાના ડેપ્યુટી તરીકે મોકલ્યા. આ પછી ઈ. સ. ૧૭૨૩માં નિઝામ-ઉલ-મુકે રાજધાનીમાંની પિતાની ઑફિસમાંથી તેમ જ ગુજરાતની સૂબેદારીમાંથી પણ રાજીનામું આપ્યું. એટલે બાદશાહ મુહમદશાહે ગુજરાતના વાઈસરોય તરીકે સરબુલંદખાનને નીમ્યા. આ સરબુલંદખાને સુજાતખાન નામની બાહોશ વ્યક્તિને ડેપ્યુટી તરીકે નીમી. એટલે અમદાવાદ આ સુજાતખાનના અમલ નીચે આવે તેવી પરિસ્થિતિ થઈ. પરંતુ નિઝામ-ઉલ-મુકે નીમેલ હમીદખાન સંઘર્ષ વગર સુજાતખાનને અમદાવાદ સેંપવા તૈયાર ન હતા. તે સમયના મરાઠા નેતા કથાજી સાથે હાથ મિલાવીને હમીદખાને ડિસેંબર ૧૭૨૪માં, વીરતાપૂર્વક પિતાને સામને કરનાર સુજાતખાનને હાર આપીને તથા તેનું મૃત્યુ નિપજાવીને અમદાવાદમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250