Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

Previous | Next

Page 11
________________ હકીકતમાં સુખ અને દુઃખ એ કલ્પના છે. આનંદ વાસ્તવિકતા છે. અનુકૂળતામાં ઋતિ થતાં સુખસંજ્ઞાના કારણે સુખનો અનુભવ થાય છે. તો પ્રતિકૂળતામાં અતિ થતાં દુ:ખસંજ્ઞાના કારણે દુ:ખનો અનુભવ થાય છે, પણ હકીકતમાં આત્મા આનંદ સ્વરૂપ છે અને આનંદની વિકૃતિ સુખ-દુ:ખ છે. આત્મા એક અવિભાજ્ય અખંડ શાશ્વત દ્રવ્ય છે. અસંખ્ય પ્રદેશોનો સમૂહ છે. (પ્રદેશ= અવિભાજ્ય અવયવ) આ પ્રત્યેક પ્રદેશે અનંતા ગુણો છે. પ્રત્યેક ગુણનો અનંત આનંદ છે. તે જ હું છું અને તે જ મારૂં અવિનાશી સ્વરૂપ છે. ઈંદ્રિયોના અનુકૂળ વિષયોથી સુખ મળે છે એ ભ્રમણા છે. આ વાતને આપણે તર્કથી સાબિત કરીએ. બધાને મનપસંદ ખાવામાં મજા, આનંદ આવે છે. પણ આનંદ ક્યારે આવે ? ભૂખ હોય તો. ભૂખ વિના ખાવામાં સુખ લાગતું નથી. આમ ઈંદ્રિયોના પ્રત્યેક સુખની પૂર્વે એક દુ:ખ, તૃષ્ણા, Craving હોય છે અને તેના પ્રતિકારને અજ્ઞાની સુખ કહે છે. (૬)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66