Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 79
________________ દશમું] વીર માણિભદ્ર શ્રદ્ધાની આવી મહાશક્તિને પિતાના હૃદયમાં ઠાંસી ઠાંસીને ભરનાર માણેકશાહ શેઠ આજે આ ભયાનક જંગલમાં આવી પહોંચ્યા હતા. શ્રી સિદ્ધગિરિના અવિરત રટન વચ્ચે તે આ અઘોર જંગલના માર્ગને તીરના વેગે વધી રહ્યા હતા. પરંતુ ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે તે કણ જણી શકયું છે! ભાવિના ભેદ કેણ ઉકેલે ! જગતમાં મહાપુરુષનું જીવન પરિવર્તન અચાનક અને અદ્દભુત રીતે થાય છે. કુદરત જે વ્યક્તિને જીવનપલટે કરવા ધારે છે, તેને જાણે હાથ પકડીને જ નવે રસ્તે ચઢાવી દે છે. ઈતિહાસના પટ પર આવાં અનેક ઉદાહરણ મેજૂદ છે. ઉજજયિની નગરીના માણેકશાહ શ્રેષ્ઠીનું જીવનપરિવતને પણ આવા જ કેઈ અનેરા સંજોગને આભારી હતું. કારણ કે :કયાં ઉજજન કયાં આગરા, કયાં સિદ્ધગિરિવર સ્થાન ! ક્યાં માનવ માણેકશાહ, ક્યાં મણિભદ્ર મહાન! મહાપુરુષોના જીવન પલટા સમયે કુદરત વેરાઈ ગએલા મણકાને એકઠા કરીને તેની માળા કેઈ અકળ કળા વડે પોતાના હાથે જ પરેવી દે છે. માણેકશાહ શેઠનું જીવનપરિવર્તન પણ આવા અનેરા સંજોગેના અણધાર્યા ઐક્યથી થવા પામ્યું હતું. એક શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126