Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
સૌ પ્રથમ પરમ કૃપાળુ પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરવા રૂપ મંગલ કરીને ઉદ્ઘલેક કયાંથી શરૂ થાય છે તે જણાવેલ છે. ઉપરના પ્રથમ રાજલકમાં રહેલા પ્રથમ સૌધર્મ તથા બીજા ઈશાન દેવકનું વર્ણન કરતા તે દેવલોકના આકાર, સ્થાન લંબાઈ તથા પહેલાઈ બતાવીને તેઓના ૧૩ પ્રતાની વિગત જણાવી છે
આ પ્રતિરોમાં ઈદ્રક વિમાને તેના નામ અને પછી ત્રીજા દેવલોકથી સર્વાર્થ સિદ્ધ વિમાન સુધીના પ્રતોની સંખ્યાનું નિરૂપણ કરીને કુલ સંખ્યા બતાવી છે. તે પ્રતિરોની સંખ્યા કઈ રીતે લેવામાં આવી છે તે પણ જણાવેલ છે.
પંક્તિગત વિમાનો અહિં તિર્જીકના ક્યા સ્થાનથી બરાબર ઉપર છે. તે તથા ઉપર ઉપરના પ્રતરમાં પંક્તિગત વિમાની સંખ્યાને કેમ જણાવેલ છે.
આ વિમાનનો આકાર ત્રણ પ્રકારે બતાવેલ છે. તે ત્રણ પ્રકારના વિમાનો કયા ક્રમે હોય તે પણ જણાવેલ છે. - હવે, પ્રથમના બને દેવલોકના તેર પ્રતરોમાં પંક્તિગત કેટલા કેટલા વિમાને છે તે સર્વ સંખ્યા બતાવીને પછી ક્રમશઃ દરેક પંક્તિમાં ગેળ-ત્રિકણ અને ચોરસ વિમાન કેટલા-કેટલા છે તે તથા તેનો સરવાળો કરીને સર્વ સંખ્યા બતાવી છે.
પંક્તિગત વિમાનોની સર્વ સંખ્યા બતાવીને બાકીના પુષ્પાવકીર્ણ વિમાને કયાંકયાં હોય તે તથા તેમના આકારની વિગત જણાવીને સર્વ સંખ્યા બતાવી છે.
એ પ્રમાણે બને દેવકના ફાળે કેટલા-કેટલા વિમાને આવે તે જણાવી દીધું છે.
આ બને દેવલોકના વિમાની સુંદરતાનું વર્ણન કરીને તેમાં ઈશાનેદ્રની અધિકતા બતાવીને હવે તે વિમાને કેવા વિશાળ તથા અંદર કેવી રચનાવાળા હોય છે તે ખૂબ જ વિસ્તારથી જણાવે છે.
આ વિમાનની વિશાળતાને સમજાવવા માટે દેવોની ગતિનું માન બતાવીને દષ્ટાંત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વિમાનોમાંથી કેટલાક વિમાનોને દેવો ૬ મહિનામાં અવગાહન કરી શકે અને કેટલાકનું કરી શક્તા નથી.
દેવલોકની સુંદરતાનું વર્ણન કરીને ત્યાં રહેતા સતત પ્રકાશમય તથા સુગંધી વાતાવરણનું વિવિધ ઉપમાઓથી વર્ણન કર્યું છે.
પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે આગમમાંથી તારવીને જ્ઞાનાનંદમાં મગ્ન બની આ વિમાનમાં વિવિધ સ્થળે રહેલા વન ખંડ, વાવડીઓ, ક્રીડા યોગ્ય મંડપ, પર્વત, હીંચકાઓ તથા આસાનું ખૂબ જ વિસ્તારથી વર્ણન કર્યું છે.
એ વિમાનમાં રહેલા પ્રાસદોની રચના કેવી છે એ પ્રાસાદના પરિવાર પ્રાસાદે કેવા અને કેવી રીતે રહેલા છે તે તથા તેમની સંખ્યા તેમની ઊંચાઈ આદિનું માન બતાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org