Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૨૦
અષ્ટાપદ તીર્થયાત્રાને રધ-અટકાવ થાય છે તે પણ આ શત્રુંજયતીર્થ ભવ્યાત્મા
ને તારક છે. તેની યાત્રાનો પણ રેપ થશે તેપછી પથ્વી ઉપર બીજી કોઈ સારવાળી (તારનારી) વસ્તુ નથી. જે અવસરે તીર્થકરને અભાવ છે, સત્કૃષ્ટ ચારિત્રધર્મને અભાવ છે, પૂર્વરૂપ આગમજ્ઞાનને પણ અભાવ છે, તેવા હુંડા અવસર્પિણી કાલમાં આ શત્રુજ્યગિરિરાજ જ સર્વ પ્રાણીઓના મનવાંછિત આપનાર છે.”
આ પ્રમાણે ઈદ્રના વચનને સાંભળી ચકવતી યક્ષેને અટકાવે છે. પરંતુ જેટલી ભૂમિ પર્યત સમુદ્ર આવેલ છે ત્યાંથી પાછો મૂળસ્થાને ન જતાં ત્યાંને ત્યાં જ રહ્યો. '' - પૂજ્ય શ્રીમાન હંસરત્નસૂરિ મહારાજના એ પૂર્વોક્ત ઉલ્લેખથી સાબીત થાય છે જે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિરાજના રક્ષણાર્થે ઉદ્યત થયેલ શ્રી સગર ચક્રવતીના પ્રયત્નથી જબૂદ્વીપના દક્ષિણ દ્વારથી લવણસમુદ્રને જ બદ્વીપમાં પ્રવેશ થયે તે વખતે ભરતક્ષેત્રવતી સંખ્યાબંધ ગ્રામ-નગર અને દેશને જળપ્રલય થયે હોય એ સંભવિત છે. અને આવેલું જળ એમને એમ જે રહ્યું તેને જ આપણે જુદા જુદા વિભાગાશ્રયી અરબી સમુદ્ર -આટલાંટિક મહાસાગર–પાસીફિક મહાસાગર વિગેરે ઉપનામે આપીએ છીએ. પરંતુ વસ્તુતઃ વર્તમાનમાં દષ્ટિગોચર થતાં સમુદ્રો અથવા મહાસાગરો એ લવણસમુદ્રની નહેર સરખાં છે. અને વર્તમાનમાં દેખાતી પાંચ ખંડ રૂપ પૃથ્વી અને તેને ફરતું જે પાણી તે સર્વને ભરતક્ષેત્રના દક્ષિણ તરફના અધ વિભાગમાં જ સમાવેશ કરે એ યુક્તિ સંગત છે. ભરતક્ષેત્રમાં લવણસમુદ્ર સંબંધી જલને પ્રવેશ અને ત્યારબાદ પણ ઉપસ્થિત થયેલ તેવા કારણોને અંગે ક્ષેત્રવિગેરેમાં શાસ્ત્રીય મન્તવ્યની અપેક્ષાએ આપણું સ્થૂલ દષ્ટિથી જ પરાવર્તન દષ્ટિગોચર થાય છે, તેથી શાસ્ત્રીય મળે અસત્ય છે એવું માનવાને કાંઈ પણ કારણ નથી. શાસ્ત્રના વકતા આત પુરૂષ છે. એ આમ પુરૂષોના વચનમાં અવિશ્વાસ કરવો એ અધ:પતનનું પ્રથમ પગથીઉં છે. જે વસ્તુ સંબધી શાસ્ત્રીય મન્તવ્ય અન્ય પ્રકારે હોવા છતાં આપણી ચર્મચક્ષની નજરમાં અન્યરીતિએ અનુભવ થતો હોય તેવા પ્રસંગે
ક વિહિં પરં તેમ નિરં સર્ષ” “રાગ દ્વેષ મહ રહિત જિનેશ્વરેએ જે જે ત જે જે રીતિએ ઉપદેશ્યાં છે તે તે પ્રમાણે જ છે સાચાં અને નિ:શંક છે” એ સૂત્રને આધાર રાખવો જાયેગ્ય લેખાય. શાસ્ત્રમાં ગંગા અને સિધુ મહાનદીનું જે વર્ણન આવે છે તે ગંગા સિંધુ
નદીઓ વર્તમાનમાં છે તે સમજવી કે અન્ય ? આ પ્રશ્ન ગંગા સિધુ નદીના ઘણી વખત અનેક જીજ્ઞાસુ વ્યકિતઓ તરફથી થાય છે, તેના સ્થાને. સંક્ષિપ્ત સમાધાનમાં જણાવવું ઉચિત સમજાય છે જે-સિબ્ધ
નદી તે પ્રાય: તેજ છે. એટલે કે કાળ બળને અંગે તેના પ્રમમાં ન્યૂનાધિકા થયું ભલે નજરમાં આવતું હોય! પણ સ્થાનમાં ખાસ પરાવર્તન