Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
દ્વિપસમુદ્રનાં નામે. आभरणवत्थगंधे, उप्पलतिलए अ पउमनिहिरयणे। वासहरदहनईओ, विजया वक्खारकप्पिदा ॥१॥ कुरुमंदर आवासा, कूडा नक्खत्त चंदसूरा य ।
अन्नेवि एवमाई, पसत्थवत्थूण जे नामा ॥२॥ આભરણ, વસ્ત્ર, ગંધ દ્રવ્ય, ઉત્પલ (કમળની જાતિ વિશેષ , તિલક, પદ્મ ( કમળની જાતિવિશેષ ), નવનિધિ, સોળ પ્રકારનાં રત્નો, વર્ષધરપર્વતે, પદ્મ સરવર આદિ શાશ્વત સરોવર, ગંગા વિગેરે નદીઓ, ચોત્રીસ વિજયે, સેળ વક્ષકાર પર્વતે, બાર કલ્પ, ઇન્દ્રો, કુરુક્ષેત્ર, મેરૂપર્વત (નાં ૧૧ નામ) ભવનપતિ વિગેરે પાતાલવાસી દેના આવાસે, ઋષભકૂટાદિ ભૂમિકૂટ તથા પર્વતના કૂટે, અાવીશ નક્ષત્ર (ઉપલક્ષણથી ઉત્તમ ગ્રહો), ચંદ્ર સૂર્ય અને એ સિવાયની બીજી પણ ઉત્તમ વસ્તુઓનાં જે જે નામો છે તે તે નામવાળા દ્વિપસમુદ્ર છે.
તથા ત્રિવત વાળા દ્વીપસમુદ્રો છે, એટલે જે એકજ નામ તે પુન: “વર” શબ્દ સહિત બીજું નામ, અને “વરાભાસ” એ શબ્દ સહિત ત્રીજું નામ, તે જેમકે અરૂણદ્વીપ એ એક નામ છે તેનાંજ ત્રણ નામ તે અરૂણુ–અરૂણવર-અરૂણહરાવભાસ, અથવા શ્રીવત્સ શ્રીવત્સવર શ્રીવત્સવરાવભાસ ઇત્યાદિ રીતે એક જ નામ ત્રણવાર પરાવર્ત થવાથી ત્રિજ્યારે કહેવાય, વળી આ ત્રિમત્યવતાર નવમા અરૂણદ્વીપથી પ્રારંભીને સૂરદ્ધપસુધી જાણ કે જે છેલ્લા પાંચ દ્વીપ સમુદ્રોની પહેલાં અનંતરપણે આવેલ છે. એકજ નામને ત્રિકત્રણવાર=Mવતર=ઉતારવું તે ત્રિપ્રત્યવતાર અને પ્રતિ એ ઉપસર્ગ છે.
વળી અરૂણથી માંડીને સૂરવરાવભાસ સુધીના દ્વીપ સમુદ્રમાં એકેક નામવાળા અસંખ્યાતા દ્વીપસમુદ્રો છે, જેમ આ જંબુદ્વીપ છે, તે બીજે જંબદ્રીપ ત્રિપ્રત્યવતારવાળા અસંખ્ય દ્વીપમાં છે, તેજ બીજે ત્રીજે આદિ અસંખ્યાતા જંબદ્વીપ છે, અસંખ્યાત ધાતકી દ્વીપ છે, અસંખ્યાત પુષ્કરદ્વીપ છે. ઇત્યાદિ રીતે જાણવા. પુનઃ એ સરખા નામવાળા દ્વીપ વા સમુદ્રો સાથે સાથે નથી, પરંતુ અસંખ્યાત અસંખ્યાતને અંતરે છે, જેમાં પહેલા જ બુદ્વીપ પછી અસંખ્યાતા અન્ય નામવાળા દ્વીપસમુદ્રો વ્યતીત થયે બીજે જંબદ્વીપ આવે, તદનંતર અસંખ્યાતા અન્ય નામવાળા દ્વીપસમુદ્ર વ્યતીત થયે ત્રીજે જંબુદ્વીપ
૧ એ પણ જંબુદીપ જંબૂવરદીપ અને જબૂવરાવભાસદીપ એ પ્રમાણે ત્રિપ્રત્યવતાર સહિત છે, અને તે દરેક પિતતાના નામવાળા સમુદ્રોવડે વીટાયેલા છે,