Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
દ્વીપસમુહોની જગતીનું વિશેષ સ્વરૂપ,
૩૫૨૮૦રૂ થાજન લવણસમુદ્રની જગતીના દ્વારનું પરસ્પર અન્તર છે, તથા ધાતકી ખંડને પરિધિ ૪૧૧૦૯૬૧ જન છે, અને પૂર્વોક્ત વિધિ પ્રમાણે દ્વારનું અન્તર ૧૦૨૭૭૩૫ જન ૩ ગાઉ છે, તેવી જ રીતે કાલેદધિને પરિધિ ૯૧૭૦૬૦૫ યોજના અને રીતિ પ્રમાણે દ્વારનું અન્તર રર૯૨૬૪૬જન ૩ ગાઉ છે. એ પ્રમાણે દરેક જગતીઓ ૧૮ જન ન્યૂનપરિધિના ચોથા ભાગ જેટલા દ્વારાન્તરવાળી છે, દ્વીપસમુદ્રના વિસ્તાર વધતા જતા હોવાથી જગતીઓના પરિધિઓ પણ અધિક અધિક હોવાથી અહિં સર્વ જગતીઓના દ્વારનું અન્તર એકસરખું નથી. માટેજ કાલેદધિ સુધીની ચાર જગતીઓના દ્વારાન્તરનાં ઉદાહરણ ઉપર કહ્યાં છે.
છે કે વિશેષણ-આઠ જન ઉંચા ચાર જન વિસ્તારવાળાં અને બે પડખે ગાઉ ગાઉની ભિત્તિયુક્ત દ્વારવાળી એવી જગતીઓવડે. અર્થાત જગતીનાં જે ચાર દ્વાર છે તે દરેક આઠ જન ઉંચા છે, ચાર યોજન પહોળાં છે, અને બે બાજુની બે બારશાખ એકેક ગાઉ પહોળી છે, તે પણ દ્વારનું જ અંગ હોવાથી કાર તરીકે ગણાય છે, અને તે કારણથીજ આઠમા વિશેષણમાં દ્વારને ૪ જન વિસ્તારવાળું ગયું છે.
૨૦ ૬ વિશેષણ–પૂર્વાદિ દિશામાં મહકિદેવનાં અને તેના દ્વારનાં વિજય આદિ નામવાળી એવી જગતીઓ વડે. અર્થાત્ જગતની પૂર્વ દિશામાં વિના નામનું દ્વાર છે, અને તેના અધિપતિદેવનું નામ પણ વિજય છે, દક્ષિણ દિશાએ વિનયંત દ્વાર અને તેને અધિપતિ વિજયંત નામના દેવ છે, પશ્ચિમ દિશામાં ગયંત નામનું દ્વાર અને તેને અધિપતિ જયંત નામનો દેવ છે, તથા ઉત્તરદિશામાં રાતિ નામનું દ્વાર છે, અને તેના અધિપતિદેવનું નામ પણ અપરાજિત છે, તેમજ એ ચારે વ્યન્તરદેવ મહાદ્ધિવાળા છે અને તેઓની રાજધાનીએ બીજા જ બુદ્વીપમાં પિતપોતાની દિશાઓમાં છે.
૨૨ મું વિશેષણ–અનેક મણિમય દેહલી કપાટ અને પરિઘ આદિ દ્વારભાવાળી એવી જગતીઓ વડે. અર્થાત્ એ જગતીઓનાં જે ચાર દ્વાર કહ્યાં તે દરેક દ્વારને ઉંબરે છે, બે બે કમાડ છે, અને કમાડ બંધ રાખવાની ભેગળ છે, એ રીતે દ્વારનાં જે જે અંગ હોવાં જોઈએ તે તે સર્વ અંગની શોભાવાળાં દ્વાર છે.
એ પ્રમાણે ૧૧ વિશેષણોવાળી જગતીઓવડે તે સર્વે અસંખ્યાતા દ્વિીપસમુદ્ર વીટાયેલા છે, જેથી જગતીઓ પણ પચીસ કેડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર