Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 162
________________ : કથાન–કેરા : જીવહિંસા સંબંધી ગુએ સમજાવેલ સ્વરૂપ જ કરવું ઉચિત છે. પછી અમાત્ય જન્નદેવ અને શિવદેવને સાથે લઈને તે આચાર્ય પાસે પહોંચે. બધી રીતે વિનય અને આદર સાથે તેણે આચાર્યના ચરણકમળને નમન કર્યું અને પછી તે પાસે જમીન ઉપર બેઠે. ગુરુએ પણ ધર્મકથા કહેવા માંડી. બરાબર લાગ જોઈને અમાત્ય છેઃ સર્વ પ્રકારના ધર્મકર્મના ગુણોને નભાવી રાખનારું–ટકાવી રાખનારું ખરું મૂળ કારણ શું છે? ગુરુ બેલ્યા-સાંભળે કહું છું. જીવઘાતનો ત્યાગ કરે એ જ બધા ધર્મકર્મોને ટકાવી રાખનારું મૂળ સાધન છે, સૂક્ષમ છાની રક્ષા કરવાથી એ જીવવધનો ત્યાગ સારી રીતે થઈ શકે છે. એ જાતની તમામ જીવોની રક્ષા તે સાધુઓ જ રાખી શકે છે, પરંતુ જેઓ ગૃહસ્થ છે તેમને સારુ એ રક્ષા આ પ્રકારે છે. ગૃહસ્થ મારવાનો સંકલ્પ કરીને બે ઇન્દ્રિયવાળા, ત્રણ ઇંદ્રિયવાળા વગેરે અપરાધ વગરના સ્થલ અને ધર્મ વગેરે નિમિત્ત માટે મારે નહિં. એ રીતે તેઓ સ્થલ જીવોની રક્ષા કરી શકે છે. અને એ પ્રકારે તેઓ જીવના ઘાતનો ત્યાગ કરી શકે છે તથા એ લેકે (ગૃહ) ઘરના મેટા મેટા કામકાજમાં આસક્ત થઈને પડેલા હોય છે એટલે તેમને ખેતી કરવી પડે, પશુઓ પાળવા પડે વગેરે પ્રવૃત્તિ પિતાની આજીવિકા માટે કરવાની હોય છે. એથી તેઓ પિતાની પ્રવૃત્તિમાં વપરાતા અને સૂક્ષમ એવા પૃથ્વી, પાણું વગેરેના જીવોની રક્ષા માટે એક ક્ષણ પણ સમર્થ થઈ શકતા નથી અને એ જ પ્રમાણે તેઓ અપરાધી જીવ પણ બચાવી શકતા નથી માટે પિલા નિરપરાધી સ્થલ બેઇદ્રિય વગેરે જીવોની મનથી, વચનથી અને કાયાથી હિંસા કરવી નહીં અને કરાવવી નહીં એમ બે જોગ અને ત્રણ કરણે જીવઘાતના ત્યાગનું વ્રત લઈને જીવઘાત વિરતિને સ્વીકારવી જોઈએ અને એટલા માત્રથી જ એટલે સ્થલ જીવઘાતનો પૂર્વોક્ત રીતે ત્યાગ કરવાથી ગૃહસ્થ દેશ ચારિત્ર-અલ્પ અંશે સંયમી બની શકે છે એમ સમજવું, એમ છે માટે જ મુનિના વ્રત કરતાં આ વ્રત આણું છે-નાનું છે, સૂમ છે માટે જ તેનું નામ અણુવ્રત એ ખરેખરું છે એમ શાસ્ત્રકાર કહે છે. એ જ પ્રમાણે બાકીના વ્રત પણ અણુવ્રત છે, એમ જાણી લેવાનું છે. જે મનુષે જીવવધની પ્રવૃત્તિને ત્યાગ કરી દીધેલ છે તે, ભવના દરિયાને તરી ગયેલ છે. સમગ્ર મુગતિઓ માટે તેણે પાણી મૂકેલું છે અર્થાત મુગતિઓમાં એ જનાર નથી અને એણે ધર્મનાં બધાં ફળ પ્રાપ્ત કરી લીધેલાં છે. આ વ્રત સ્વીકાર્યો - પછી એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વ્રત લેનારે કષાય ભાવથી પાંચ અતિચારેને તજી દેવા જોઈએ, એમ કરે તે જ એ સ્વીકારેલા વ્રતને પાળી શકે. એ પાંચ અતિચાર આ પ્રમાણે છે. બંધ, વધ, છવિચ્છેદ-ચામડી કે કોઈ પણ અંગને છેદ, અતિભાર ભરો અને કેઈના માનપાનને વિચ્છેદ કરે. અર્થાત્ મનમાં દ્વેષ, ક્રોધ, મદ, માન, માયા કે મેહભાવને પ્રથમ રાખી એ પાંચ અતિચારને ન આચરવા. બંધ એટલે બેડી વગેરે વડે કેઈને બાંધ વા બંદીખાને પૂરાવ. વધ એટલે લાકડી વગેરે વડે કઈને મારે. છવી એટલે અંગે ચામડી, કાન, પૂછડું, શિંગડું વગેરે તેને છેદ કરે-તે અંગે કાપી નાંખવા એનું નામ છવિ છે. કેઈ માણસ કે પશુ પાસે નિયપણે તેના ગજા ઉપરાંત ભાર ખેંચાવ તેનું "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230