Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 195
________________ ફક્સરામને કાલીયસુતને થયેલ મેળાપ : કથાર-કેશ : જવાબ સાંભળી શ્રેષ્ઠીને વિચાર આવ્યું કે બીજાના ધનને ધૂળ સમાન જાણી તેની અવગણના કરનાર આવા મહાનુભાવે જ્યાં સુધી નજરે દેખાય છે ત્યાં સુધી કલિકાલને અવકાશ નથી. સારા પુરુષને હજુ ઉછેર થયું નથી. આ રીતે વિચાર કરતાં શેઠ પિતાને આવાસે આવ્યા અને ફરુસરામ પિતાના સ્થળે ગયે. એક સમયે જ્યારે પુરુરામ ધોળું કપડું ઓઢીને પેલા શેઠની પાસે બેઠો હતો ત્યારે તે જ કાલીયસુત રાજાનું તે મહામૂલ્યવંતું આભરણું લઈને તે જગ્યાએ આવ્યો. “નગરને આ મેટે માણસ છે” એમ વિચારીને તેણે તે આભરણુ શેઠને બતાવ્યું. “આ આભરણુ ઘણું કિંમતી છે માટે તેને તે રાજા એ જ ખરીદી શકે ” એ પ્રમાણે કહીને શ્રેણીએ તે આભરણના વખાણ કર્યા. આ સમયે આશ્ચર્ય સાથે જોતાં ફસામે તે આભારણને તેમજ તે સેવકને ઓળખી કાઢી શેઠના કાનમાં બધી હકીક્ત કહી સંભળાવી. બાદ તેને બોલાવતાં કહ્યું કે – હે કાલીયસુત! તું કયાંથી આવે છે? આ પ્રમાણે ફરુસરામના વચને સાંભળી તેના મનમાં થયું કે-અરે ! આ અમાત્યપુત્ર અહીં કયાંથી? છતાં પણ મુખને ભાવ છુપાવીને, જાણે કોઈને ઓળખતા જ ન હોય તેમ તે બે : હે ભદ્ર! તું કોણ છે? મારી સાથે તને ઓળખાણ કયાંથી? ફરુસરામે તેને કહ્યું : અરે ! મૂઢ! હજુ તે ડાક દિવસે ગયા છે તેટલામાં તું ભૂલી ગયે? કપલ્યપુરના રાજાના અમાત્ય મારા પિતાને તું શું દાસ નથી ? ત્યારે તેણે કહ્યું : ભાઈ, સરખે સરખા દેખાવને મને જોઈને તું ઠગા છે, તે બીજે કઈ હશે. મેં સ્વપ્નામાં પણ તે નગર જોયું નથી તે પછી દાસપણાની તે “ વાત જ કેમ ઘટી શકે? શેઠે વચ્ચે બોલતાં જણાવ્યું કે હે ભદ્ર! ત્યારે તું જ કહે કે તું કયાંને રહેવાસી છે અને આ આભરણ કેવું છે? તેમજ એ કેટલી કીમતમાં મળી શકે તેમ છે? ત્યારે તે કાલીયકૃત પણ ગંભીર થઈને બોલવા લાગ્યો. હું તે રોહાણુધિપતિને ગંગ નામને સેવક છું. મારા સ્વામીને હુકમ થવાથી તેને આ હાર હું વેચવા આવ્યો છું. એક લાખ સેનિયા લઈને તે વેચવાને છે. શેઠે કાલીયસુતને કહ્યું: રે મૂર્ખ ! તને છેટું પણ બોલતા નથી આવડતું. રેહણાચલનું હલકું રત્ન પણ એક લાખ સેનૈયે વેચાય છે તે એવા રત્નના સમૂહથી બનેલ આ હારની કેટલી બધી કિમત થાય? રેહણ, રત્નેને ભંડાર છે અને તેના સ્વામીને તું સેવક છે તે વાત તે ઠીક કહી પરંતુ તે જે આ હારનું મૂલ્ય કહ્યું તે ખે છે. અથવા તે એમ પણ બની શકે કે-આ હાર કઈ ભાગ્યવંત પુરુષને હોય અને તેને ઠગીને તે મેળવ્યું હોય એટલે તેના સાચા મૂલ્યની તને શી રીતે સમજણ પડે? આ પ્રમાણે સાંભળી કાલીયસત રેષપૂર્વક બેલવા લાગે? શું એ ઠગારે છું? તમે આવું અનુચિત કેમ બેલે છો? તમારે આભરણ ન રાખવું હોય તે થયું, પરંતુ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230