Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 213
________________ સ્થૂળ પરિગ્રહ પરિમાણ વ્રત વિશે ધરનું કથાનક ( ૩૮ ) પરિગ્રહ ઉપર કાબૂ ન રાખવામાં આવે તે ઘણુ કરીને તે ઘણાં અન’તુ કારણ અને છે, માટે તેના પર કાબૂ રાખવા માટે તેનું ચોક્કસ પરિમાણુ કરી લેવુ જોઈએ એટલે પરિગ્રહને અમુક મર્યાદામાં જ રાખવા એવા નિયમ કરવા પ્રયત્ન કરવા જોઈએ, તે બાબતનુ વર્ષોંન કરાય છે. જેના પરિગ્રહ કરાય, જેના સ્વીકાર કરાય, જેને પાતાના તાબામાં-પેાતાની સત્તામાં રાખી શકાય તેનું નામ પરિગ્રહ, પરિગ્રહના બે પ્રકાર છે: ધન, ધાન્ય વગેરેના પરિગ્રહ તે દ્રવ્યપરિગ્રહ અને રાગ, મેહ, લાભ વિગેરેના પરિગ્રહ તે ભાવપરિગ્રહ. દ્રવ્યપરિગ્રહની મર્યાદા કરવી શકય છે. દ્રવ્યપરિગ્રહના જેટલા જેટલા વધારે ત્યાગ થાય છે તેટલા અશમાં ભાવપરિગ્રહના પણ ત્યાગ થતા આવે છે. ભરત વગેરે મહાપુરુષોએ તે દ્રવ્યપરિગ્રહની મર્યાદા કર્યા વિના પણ ભાવપરિગ્રહની અલ્પતા કરેલ અને છેવટે ભાવપરિગ્રહને તદ્ન ત્યજી પણ દીધેલ, પરન્તુ ભરત જેવા મહાપુરુષો આ જગતમાં ઘણુા વિરલ હેાય છે. ઘણે ભાગે મનુષ્યના માટો ભાગ ખાદ્ઘ પરિગ્રહની મર્યાદા કર્યાં પછી જ તે દ્વારા ભાવપરિગ્રહની મર્યાદા કરી શકે એવા વ્હાય છે. પરિગ્રહ દુઃખાનું ઘર છે, ધર્માંધ્યાનના પ્રથમ-મુખ્ય શત્રુ છે તેવા સ્પષ્ટ દુષ્ટ ગ્રહના જેવા પરિગ્રહ સુખકારી કેમ હોઇ શકે ? સૂંઢ લેાકે, પરિગ્રહને માટે જીવાને હણે છે, ખાટું ખેલે છે, બીજાના દ્રવ્યને લઇ લે છે અને પરસ્ત્રીને પણ સ્વીકાર કરે છે. આ પ્રમાણે પરિગ્રહ અધાં પાપ-સ્થાનાનુ કારણ છે, શુભ બુદ્ધિને રાકનારા છે તેથી જે વાકા ડાહ્યા છે તેઓ પેાતાની આકાંક્ષાઓ ઉપર કાબૂ રાખીને પરિગ્રહના સકાચ કરે છે. જે લેાકેા પેાતાની વિવિધ આકાંક્ષાઓ ઉપર કાબૂ રાખી શકતા નથી અને તેથી જે વિશેષ આરંભ અને પરિભ્રહમાં મચ્યા રહે છે તે ધણુની પેઠે મહાકલેશ અને આફ્તાના પાત્ર બને છે. તે ધરણુની કથા આ પ્રમાણે છે— ગૌરવવાળા મરડુ નામના દેશમાં અરિષ્ટપુર નામના ઉત્તમ નગરમાં ત્રિલેાચન નામના રાજા રાજ્ય કરે છે. એ રાજાએ પેાતાના પ્રચંડ બાહુબળના પ્રભાવથી રાજલક્ષ્મીને તાએ કરીને તેના હૃદય પર પાતાનું આસન જમાવી રાખેલ છે. તે રાજા પેાતાના ત્રિલેાચન એટલે મહાદેવ નામને ખરાખર સાર્થક કરે છે. જેમ મહાદેવને ઉમા પાવતીનો આશ્રય છે તેમ તે રાજાને ઉમા-કીર્તિને આશ્રય છે એટલે કે તે રાજા અને મહાદેવ અને ઉમા. નિલય છે. તે જ પ્રમાણે તે રાજા મહાદેવની માફક ધર્મકર છે એટલે કે જેમ મહાદેવ ધર્મીને કરનારા તેમજ કરાવનારા છે તેમ એ રાજાએ નાખેલા કરવેરા ધર્મરૂપ મહાદેવને "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230