Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 186
________________ સ્થૂલ અદત્તાદાનના ત્યાગ વિષે સરામનું કથાનક (૩૬) . ગૃહસ્થે સ્થૂલ મૃષાવાદનું બીજું વ્રત ગ્રહણ કર્યું. હાય અને એ, બીજાના દ્રવ્યને ચારી જવાની વૃત્તિ રાખતે હાય તે તે સુખી થઈ શકતા નથી માટે સ્થૂલ અદત્તાદાનના ત્યાગ વિશે કંઇક કહીશુ. દ્રવ્ય એટલે પારકાનું ધન, સેાનું વિગેરે ત્રણ પ્રકારનું હાય છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર, એ ત્રણે પ્રકારના પારકાના દ્રવ્યને વિષવૃક્ષના વનની માફક દૂરથી જ ત્યજી દેવુ જોઇએ. પરદ્રવ્યને લેવાની વૃત્તિ-કલ્પના પણ શ્રેષ્ઠ પ્રવૃત્તિની ઘાતક છે તેા પછી તે માટે સાક્ષાત્ શરીરવડે પ્રવૃત્તિ કરતાં જે હાનિ થાય તે માટે તે કહેવું જ શું? પરિણામે પ્રાપ્ત થનારા મહાઅનર્થના વિચાર કર્યાં વિના જે લાકા કેવળ સુખના એક બિંદુ માત્રમાં લુબ્ધ અને છે અને પરદ્રબ્ય હરણુ કરવા તત્પર અને છે તે મહાકષ્ટ પામે છે. જેઓ ચારી કરે છે તેઓને આ જ જન્મમાં ઝાડ પર લટકાવી મારી નાખવામાં આવે છે, શૂળી પર ચડાવવામાં આવે છે, તીક્ષ્ણ તરવારના ઘાથી નાશ કરવામાં આવે છે. તેમજ તેના નાક, કાન અને આંખ કાપી નાખવામાં આવે છે. આ પ્રમાણે ચેરી કરનાર લેકે પરવશ પડી એવાં ભયાનક દુઃખેા પામે છે તેમજ પ્રભવમાં નરકમાં કુંભીપાકની વેદના ભાગવે છે. વળી ચાર લોકોના હાથ-પગ ઈંદવામાં આવે છે, દીખાનામાં પૂરવામાં આવે છે અને ગામ, ખાણ અને ખીજા સ્થળેાએથી પણુ તેમને કાઢી મૂકવામાં આવે છે. આ બધાં ચારી કરવાનાં કડવાં ફળ પ્રાપ્ત થાય છે. કદાચ કાઈ કારણસર કાઈ પ્રાણી આ જન્મમાં જ ચોરી કરવાનું ફળ ન પામે તે પશુ આવતા જન્મમાં તે ચારીનું ફળ અવશ્ય પામવાના જ. જે પ્રાણીએ ચારીના કાર્યના ત્યાગ કરનારા છે અને અંશ માત્ર કેઇનું નહીં દીધેલ લેવાની વૃત્તિવાળા નથી તે સરામની પેઠે ચારીથી થતી વિડંબનાને પામતા નથી. ક્સરામની કથા આ પ્રમાણે પંચાલ દેશના કપાલપ્રદેશમાં તિલક સમાન કપિલપુર નામનું ઉત્તમ નગર છે. એ નગરના આવાસાની શ્રેણી એટલી બધી ઊંચી છે કે જેથી તેમાં દિશાએ પણ પ્રવેશ પામી શકતી નથી. ત્યાં ચક્રેશ્વર નામના રાજા છે. તેણે સમસ્ત સામતાના સમૃહને પેાતાને વશ કરેલ છે. તેને સ્ત્રીના સમગ્ર ગુણયુક્ત સુંદર વસુધરા નામની પત્ની છે; તેમજ રાજ્યનાં અધા કામકાજોની સંભાળ રાખનારે અર્જુન નામને મંત્રી છે. તે મંત્રીને દેવકી નામની સ્ત્રી છે તેમજ વિનય અને વિવેક વિગેરે ગુણાવાળા સરામ નામને પુત્ર છે. તે બધાં પાતપાતાના સમય સુખશાંતિથી વીતાવે છે. કુરુસરામનું ચિત્ત સ્ત્રીઓ તરફ ખેચાતુ નથી, દ્યૂતના વ્યસનમાં એ મૂઢ ખનતા નથી. "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230