________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
શુભ શક્તિને અશુભ શક્તિ ગળી ન જાય તે માટે સર્વ પ્રકારના કર્મ
ગીઓ પ્રકટે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે. ગરીબકી જેરૂ સબકી ભાભી એવી કહેણીના ભોગભૂત ન થવાય તે માટે સર્વ પ્રકારના કર્મયોગીઓ કે જે સર્વ પ્રકારની શક્તિવાળા હોય તેઓને પ્રકટાવવાની દિશા દેખાડવા માટે આ ગ્રન્થ લખવાને હેતુ છે. બકરી અને સિંહને એક સરખો ન્યાય થાય તેમ બનવું એ કર્મયોગની શક્તિ પર આધાર રાખે છે. સર્વ દુનિયાની પ્રજાની શક્તિયોની સમતોલતા રહે તે માટે હાલ મિત્ર રાજ્ય સ્વબળેવડે શત્રુરાજ્યોની સાથે યુદ્ધ કરે છે. ઉત્તમ કર્મયોગીઓ પ્રકટે છે તે જ પરસ્પર રાજ્ય શક્તિ વગેરેની સમતલતા રહે છે અને એ સિદ્ધાંતને સ્વતંત્ર અમેરિકાના પ્રમુખ વિલ્સન તથા આપણું રાજ્યના પ્રધાન લોર્ડ ર્જ વગેરે સારી રીતે માને છે અને તેથી તેઓની દૃષ્ટિએ તથા અમારી દષ્ટિએ સર્વ પ્રકારના ધર્મ શક્તિ ધારક કર્મયોગીઓ પ્રકટાવવાની જરૂર છે તેની દિશા દેખાડવા માટે કર્મયોગનું સારી રીતે વિવેચન કર્યું છે. કર્મયોગના બળ વિના દુનિયામાં જીવવું મુશ્કેલ છે. કર્મયોગીઓની કેટલીક શક્તિના દુરૂપયેગથી જર્મન વગેરે રાજ્ય બ્રિટીશ વગેરે ધર્મ રાજ્યોની શક્તિને નાબુદ કરવા તૈયાર થયાં છે તેથી મિત્ર રાજ્ય સ્વકીય સ્વાતંત્ર્ય માટે કર્મયોગની શક્તિ
ના ભોગે સામાં ઉમાં છે એજ કમલેગી દેશનું દૃષ્ટાંત ખરેખર આર્યાવર્તના કર્મયોગીઓને પણ લાગુ પડે છે અને તે પ્રમાણે આર્યાવર્તના મનુષ્યોએ બ્રિટીશ કગીઓનું અનુકરણ કરવું જોઈએ, પરંતુ આર્યાવર્તના ગુણોને તેની સાથે આચારમાં મૂકવા જોઈએ. દારૂ દેવતાના સગના જેવી અને કર્મયોગી શક્તિની જરૂર નથી પરંતુ સ્થાયી અને આધ્યાત્મિક સંગઠન યુક્ત શક્તિની જરૂર છે. આધ્યાત્મિક શક્તિના જીવનની સાથે બાહ્ય શક્તિનું જીવન વહેવું જોઈએ કે જેથી અન્ય દેશને નાશ ન કરી શકાય. આર્યાવર્ત પિતાના મૂળ સ્વરૂપથી બદલાઈને હાલનું જે યુરેપ બની જાય તે તેથી આર્યાવર્તની પૂર્ણ રીતે પડતી થાય માટે આર્યાવર્તમાં અસલની શક્તિને જાળવી રાખે અને આર્યાવર્તને આર્યાવર્તપણે રાખે એવા કર્મગીઓ પ્રકટાવવા માટે કર્મયોગ લખવાની જરૂર પડી છે. અન્ય દેશોની સ્પર્ધામાં આર્યાવર્ત સ્વશકિતથી ટકી શકે અને અન્ય દેશને ખંડેને સ્વદેશની આદર્શતા પૂર્વક ઉપકાર કરી શકે એવા કર્મયોગીઓ ગુણવડે પ્રકટે એમ અન્તઃકરણથી ઈછી કર્મયોગમાં હૃદયના ઉદ્દગાર દર્શાવ્યા છે. ગૃહસ્થ અને ત્યાગીઓ સ્વાધિકારે કર્મયોગની શકિતઓને મેળવી સર્વ ની સાથે કર્મયોગીના અધિકાર પ્રમાણે વર્તે તેજ વિશ્વમાં શાન્તિ વર્તી શકે એમ છે.
For Private And Personal Use Only