________________
એક વાર કોઈ રથકારને-રૂપકોશાને ત્યાં-મહેમાન તરીકે રાજાએ મોકલ્યો ! આજ સુધી તે
સંપૂર્ણ શીલવતી રહી હતી. અપવાદ રાખેલ હતો, પણ તેણી તેનો લાભ લેવા ઇચ્છતી ન હતી. આ (૩૬)
કોશા તો પોતાના પરમ ઉપકારી સ્થૂલભદ્રજીના ધ્યાનમાં લીન હતી. સંધ્યાનો સમય હતો. બગીચામાં કલ્પસૂત્રની
જ રથકાર અને રૂપકોશા બેઠાં હતાં. રથકારે ઉત્તેજિત થઈને પોતાની કળા બતાવવા વિચાર્યું. તેણે એક વાચનાઓ
છે આઠમી
વાચના બાણ છોડ્યું. દૂર રહેલાં આંબા ઉપર રહેલી કેરીના ઝૂમખાને લાગ્યું. પછી બીજું બાણ છોડ્યું. તે
છે (બપોરે) પહેલા બાણના છેડાના ભાગમાં ચોંટી ગયું. આમ કરતાં કરતાં બાણોની હારમાળા રથકાર અને @ કોશા બેઠા હતા ત્યાં સુધી લંબાઈને આવી ગઈ. પછી રથકારે તે છેલ્લાં બાણને એવી રીતે ઝાટકો છે લગાવી ખેંચ્યો કે આખી કેરીની લૂમ ખેંચાઈને પોતાના હાથમાં આવી ગઈ.
રથકારે કોશાને કહ્યું : “જોઈ મારી કળા ! છે આવી કળા તારી પાસે ?''
કોશાએ કહ્યું કે, “એના કરતાં ય સરસ કળા મારી પાસે છે.'' છે એક વિરાગમાં મગ્ન છે, બીજો વિકારમાં મસ્ત છે.
કોશાએ જમીન ઉપર સરસવનો ઢગલો કરાવ્યો. તે ઢગલાની મધ્યમાં સોય અને તે સોય છે ઉપર કમલ મુકાવ્યું. તેની ઉપર કોશા નૃત્ય કરવા લાગી. પ્રાણાયામથી વાયુનો નિરોધ કરીને છે છે હલકંકૂલ જેવું શરીર કરીને તેણે નૃત્ય કર્યું. તે નૃત્ય જોઈને રથકાર સ્તબ્ધ થઈ ગયો અને કહ્યું કે,
“મારી કળા તો, તારી આ કળાની આગળ કાંઈ વિસાતમાં નથી.'