Book Title: Kalpsutrni Vanchnao
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 326
________________ સંવત્સરી મહાપર્વની આપણે સહુ અવશ્ય ઉજવણી કરીએ પણ એની સાથે સાથે પરમાત્માની પાસે જઈને પ્રાર્થના કરજો : “ઓ પ્રભુ ! અમે સાવ નિર્માલ્ય થઈ ગયા છીએ, અમને બળવાન બનાવ.' ““અમણે અર્થકામના રસિયા બન્યા છીએ. અમને એનાથી વિરક્ત બનાવતું બળ આપ. અમે ધર્મગુરુઓથી વિમુખ બનીને એમની અદબને ખતમ કરી છે. અમને હવે તેમનાં ચરણોમાં આળોટવાનું સદાનું સૌભાગ્ય આપ. અમે બળવાન બનીને, વિરાગી બનીને, સંત-સેવક બનીને ફરી તારા શાસનની ઝંડી ઊંચકીશું. ગગનભેદી નાદ સાથે વીરશાસનનો જયજયકાર મચાવીશું, આક્રમકોને હઠાવીશું, આતતાયીઓને સજા કરીશું, તારી સામે બિછાવેલી ભેદી જાળોને ચીરી નાખશું, સર્વને મુક્તિમાર્ગના પથિક બનાવીશું. દે.... દે.... ઓ દયાના સાગર ! તારી કૃપા જ દે.... પછી “બધું ય' અમે જ સંભાળી છે લઈશું.” દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા, શાસનપતિ મહાવીર સ્વામીજીએ સ્થાપેલ ચતુર્વિધ સંઘની છે હું કોઈ પણ ગૃહસ્થ વ્યક્તિ ન તો બહુમતિથી નિર્ણય લે ન તો સર્વાનુમતિથી; નિર્ણય તો માત્ર ગીતાર્થ મહાત્માઓ જ લઈ શકે. જેમ જેમ શાસ્ત્રમતિને આપણે અવગણતા જઈશું એની સીધી અવગણના કરવાને બદલે હું (૩૧૯)

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350