Book Title: Jivvichar Prakaran
Author(s): Shantisuri, 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 73
________________ પ૬ જીવવિચાર પ્રકરણ જીવ વિષેના વિચારો શ્રી જીવાભિગમ-સૂત્ર, શ્રી પન્નવણાસૂત્ર તથા શ્રી ભગવતીસૂત્ર વગેરે અનેક પૂજ્ય આગમ ગ્રંથોમાં અને પંચસંગ્રહ, કર્મગ્રંથાદિક મોટા મોટા પ્રકરણ ગ્રંથોમાં ઘણા જ વિસ્તારથી આપવામાં આવેલા છે. પરંતુ સામાન્ય બુદ્ધિવાળા મનુષ્યો શરૂઆતમાં તે સમજી શકે નહીં, માટે પૂર્વના ઘણા ઉપકારી આચાર્ય મહારાજાઓએ ટુંકામાં જીવનું સ્વરૂપ બતાવનારા ઘણા પ્રકરણો રચ્યાં છે. તેમાંનું શ્રી શાન્તિસૂરીશ્વરજી મહારાજનું રચેલું આ જીવવિચાર પ્રકરણ હાલમાં વિશેષ પ્રચલિત છે. તેનો સારી રીતે અભ્યાસ કરી, બની શકે તો સર્વ જીવોની સંપૂર્ણ રક્ષા કરવા; તેમ ન બને તો, નિરપરાધી ત્રસ જીવોની રક્ષા કરવા, સ્થાવર જીવોની જયણા પાળવા દરરોજ ઉદ્યમવંત રહેવું જોઈએ. આગળ ઉપર ગ્રંથકાર આચાર્ય ભગવંતશ્રીએ પણ રે બો ૩ઝ ધખે ! (૧૦) “હે ભવ્ય લોકો ! ધર્મમાં ઉદ્યમ કરો” એ પ્રમાણે સ્પષ્ટ શબ્દોમાં ધર્મમાં ઉદ્યમ કરવાની ભલામણ કરી છે. ધર્મમાં ઉદ્યમ કરવો, એ દરેકની સામાન્ય ફરજ છે, આ જીવવિચારનું જ્ઞાન તેમાં વિશેષ મદદ આપશે. જીવવિચાર ભણ્યા પછી તો વધારે સારી રીતે ધર્મમાં ઉદ્યમ કરવો એ જીવવિચાર ભણવાનું ફળ છે.

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154