Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 81
________________ દીપક પૂજા ની વિધિ .. ગાયનું શુદ્ધ ઘી અને સુતરાઉ (કોટન) રૂ થી તૈયાર કરેલ દીવડી સુયોગ્ય ફાણસમાં રાખવી. અશુદ્ધ વસ્ત્ર-હાથ ના સહારે તૈયાર થયેલ દીવેટ અને બોયાનો ઉપયોગ શકય હોય ત્યાં સુધી ટાળવો. બારે માસ દેરાસરમાં કે સ્વદ્રવ્યથી પૂજા કરનાર ભાવિકોએ દિપકને ચારે બાજુ અને ઉપર-નીચેથી બંધ ફાણસમાં (જયણા પાલન માટે) રાખવો. ‘જયણા પ્રધાન જૈનધર્મ છે', તેથી પૂજામાં પણ અયોગ્ય વિરાધનાથી બચીને ભક્તિ કરવી. ગભારામાં દીવા ઢાંકેલા અને ગાયના ઘી ના રાખવા. દહેરાસરનાં રંગમંડપ-નૃત્યમંડપ આદિમાં ઘીના અથવા દીવેલના દીવાઓ સુયોગ્ય હાંડીમાં ઢંકાયેલા રાખવા. કાચના ગ્લાસમાં સુયોગ્ય સ્વચ્છ ગળેલું પાણી અને દેશી રંગ સાથે ઘી / દીવેલ ના દીવા યોગ્ય સ્થાને ઢાંકેલા રાખવા. • કાંચના ગ્લાસ, હાંડી, ફાણસ-અથવા ઢાંકણ આદિ (ધી આદિના ચીકાશના કારણે) સુયોગ્ય સમયે વારંવાર સાફ કરવા સાવધાની રાખવી. Jag Education internation For P ૬૭ se Only www.jainerary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124