Book Title: Jain Shwetambar Conference Herald 1905 Book 01
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 403
________________ ૩૭e જેને કોનફરન્સ હરેડ. નિવેબર બેડીંગથી લાભ કેટલા છે તે અત્ર પુનરાવર્તન કરવાની જરૂર નથી, પરંતુ જ્યાં સુધી એવા પ્રકારની બેડીંગ ન થાય ત્યાં સુધી સ્કોલરશીપ આપવી. ઓલરશીપમાં જે હરીફાઈનું તત્વ દાખલ કરવામાં આવ્યું હોય તે બેવડો લાભ થાય છે. એક તે હરીફાઈને લીધે વિદ્યાર્થી પિતાને અભ્યાસ બહુજ સારી રીતે કરે છે, તેમાં મહેનત લે છે, ખંત રાખે છે અને સર્વ હકીકત સમજવા યત્ન કરે છે. એ ઉપરાંત બેડીંગમાં રહેવામાં માનભંગ સમજનારા પણ ઉત્સાહથી અભ્યાસ કરી તેને લાભ લઈ શકે. આ વર્ગ મોટી સંખ્યામાં છે અને તેઓને કેળવણી આપવામાં સ્કોલરશીપની ખાસ જરૂર છે. પ્રાથમિક અભ્યાસ માટે બહુ ખરચ કરવાની જરૂર નથી. એનું કારણ એ છે કે માબાપ ગમે તેમ કરીને પણ બાળકોને પ્રાથમિક કેળવણી આપે છે. પ્રકત અશેષ કર્તવ્ય એટલું જ રહે છે કે તેઓને સાથે સાથે ધામીક કેળવણી મળે એવા પ્રકારની શાળા ઉઘાડવી. ચાલુ અભ્યાસની પદ્ધતિથી ધામક સંસ્કાર થવાનો પ્રસંગજ આવતું નથી અને તેથી ભણેલાઓને માથે ધર્મપર અનાસ્થાને આરોપ વ્યાજબી થાય છે. અભ્યાસક્રમ બજારૂપ નહેવા સાથે લાભકારી હોવા જોઈએ. હાલમાં પાઠ શાળાઓમાં શરૂઆતમાં પ્રતિક્રમણ ગેખાવવામાં આવે છે તે લાભકારી છે કે ન હો પણ નૈતિક ને ધામક કેળવણીથી આપણે ફરજના ભાનની જે અસર ઉત્પન્ન કરવા માંગીયે છીયે તે તે મુખપાઠથી થતી નથી એ સ્પષ્ટ છે. એટલા માટે સાદી શિક્ષાએ સાદા દ્રષ્ટાંતેની ઉપયોગી પણ સહેલી ચેપડીઓ અને તે પણ અભ્યાસના પ્રમાણમાં ચડતી ઉતરતી મેળવવા વિદ્વાનને ભલામણ છે. નિશાળના અભ્યાસ ઉપરાંત આવી પાઠશાળાઓમાં જે દરરોજ અરધો પોણે કલાક અભ્યાસ કરાવવામાં આવે છે, નિશાળની કેળવણીમાં જે ઓછાશ રહે છે પુરી થઈ જાય. આશા છે કે પન્નાલાલ બાબુના રૂપિયાની વ્યવસ્થા કવા માટે બંધાયેલા મુકામમાં કેવા પ્રકારને અભ્યાસ કરાવ એ સવાલને તેના જવાબદાર ટ્રસ્ટીઓ નિર્ણય કરે તે પહેલાં અનુભવીઓની સલાહ લઈ ઉપરની હકીક્ત લક્ષ્ય પર લેશે. - સાથી વધારે અગત્યની ભલામણ માબાપને કરવાની છે. પિતાના બાળકની જીદગી સુધારવી એ તેમની ફરજ છે. પિતાના પુત્ર પ્રમાણિકપણે નિર્વાહ કરી શકે એવી સ્થિતિમાં તેઓને મૂકવા એ પ્રત્યેક પિતાની પ્રથમ ફરજ છે. જ્યારે મોટો વારસો (ધનને) આપી જવાની ફરજ કઈ પિતાને માથે નથી, ત્યારે જીવન વ્યવહારના એગ્ય સાધન જ આપી વ્યવહાર કુશળ બનાવવાં એ પ્રત્યેક માબાપને ધર્મ છે. કેળવણીના વિષયમાં એગ્ય રીતે ધ્યાન આપવાથી માબાપની પૂરજ બરાબર બજાવાય છે. નિશાલની કેળવણી આપવા ઉપરાંત ઘેર નીતિ અને ધર્મનાં સંસ્કારનું આરોપણ કરવાથી આ પૂરજ લગભગ પરિપુર્ણ થાય છે. જે સમજે તેને માટે આ છેલા વાક્યમાં જોઈએ તેટલું કહેવામાં આવ્યું છે. જેટલી જરૂર પુત્રને કેળવણી આપવાની છે તેટલી જ જરૂર પુત્રીને કેળવણી

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452