________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસેમિરાની કથા
અમે પણ તેમને “વિસેમિરા વિસેમિરા” બોલતા સાંભળ્યા છે. આથી વિશેષ કાંઈ અમે જાણતા નથી.
આ વખતે રાજા નંદને બુદ્ધિશાળી શારદાનંદને યાદ આવ્યા. તે જે આજે હેત તે આનું જરૂર મને સાચું નિદાન કહેત કેમકે તેમની બુદ્ધિ અગમ નિગમને જાણનારી હતી. પણ હવે તેમને મેં મારી નંખાવ્યા તેનું શું થાય?
રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યું કે “રાજકુમારને સાજા કરનારને રાજ અર્ધ સજ્ય આપશે” પણ કોઈ તે અધું રજય લેવા તૈયાર ન થયે.
મંત્રીએ રાજાને કહ્યું “રાજન ! રાજકુમાર સાજો થાય ન થાય તેને તેના ભવિતવ્યતાની વાત છે પણ મારી પુત્રી આ વિષે કાંઈક સારું જાણે છે. તે ભેંયરામાં જ રહે છે તેને બતાવીયે.
“વિસેમિરા વિસેમિરા” બોલતા રાજકુમારને લઈ રાજ ભોંયરામાં આવ્યું. પ્રધાન બેલ્યા “પુત્રિ ! રાજકુમારના રોગનું નિદાન કરી રાજા અને પ્રજા ઉપર અનુગ્રહ કર.”
પડદા પાછળ રહેલ શારદાનંદન બોલ્યા. विश्वासप्रतिपन्नानां बंचने का विदग्धता । अंकमारुह्य सुप्तानां हंतुं किं तव पौरुषम् ॥१॥
“વિશ્વાસ રાખનારને ઠગવામાં શું હોંશિયારી છે.? ખેાળામાં સૂતેલાને મારવામાં શું પરાક્રમ છે.?”
મંત્રની અસર થતાં ઝેરને વેગ ઓછો થાય તેમ વિસેમિરા વિસેમિરા” બોલતે કુમાર સ્તબ્ધ થઈ આંખે ફાડી આ
શ્લોક સાંભળી રહ્યો અને લેક પુરે થતાં “સેમિરા સેમિરા બોલવા માંડે.
For Private And Personal Use Only