________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧
કુબેરચંદ્રની કથા પરેવાયું. તેને ઘોડા ઉપર કાબુ જતો રહ્યો અને તે “દીવાળી દીવાળી” બોલતો રહ્યો. જે કઈ મળે તે બધાને કહે “દીવાળી કયારે દીવાળી ક્યારે ?
થોડા વખત પછી સાર્થગંધવતી આવ્યો અને તેણે ગંધવતીના સીમાડે “દીવાળી કયારે દીવાળી કયારે બેલતા પિતાના શેઠ કુબેરચંદ્રને જોયો. સાથે માન્યું કે કઈ વળગાડ શેઠને વળગે લાગે છે. તેઓએ તેને સાથે લીધે અને કેમે કરીને કુબેરપુર લાવ્યા.
( ૩ ) માતા પિતા બધા સામે આવ્યા અને કુબેરચંદ્રને પુછ્યું ભાઈ ! કુશળ છે ને?”
કુબેરચંદ્ર આને કાંઈ જવાબ ન આપે અને બે દીવાળી ક્યારે.” - મિત્ર સંબંધી અને બીજા બધા આવ્યા. સૌ કોઈને કુબેરચંદ્ર “દીવાળી ક્યારે ?” એ સિવાય કાંઈ ન કહ્યું.
કુબેરચંદ્ર કમળશ્રી પાસે આવ્યા ત્યારે પણ તે બોલ્યા દીવાળી કયારે છે.”
કમળશ્રીને સાથેના માણસોએ કહ્યું કે અમે બધા સાથે હતા ત્યાં એકદમ એક દીવસે તે સવારના સાર્થથી જુદા પડયા અને અંધાવતી નગરીના સીમાડામાં “દીવાળી કયારે દીવાળી કયારે ” બેલતા હતા. અમે માન્યું કે કઈ ભૂતપ્રેત વળગ્યું હશે. અમે આજ સુધી ઘણું ઉપાય કર્યા પણ તેમને કાંઈ ફાયદો ન થયો.
કમળશ્રીએ કુબેરચંદ્રની આંખે જોઈ. સૌ કોઈને વળગાડ લાગતે પણ તેને તેમાં વળગાડના ચિન્હ ન લાગ્યાં તેને લાગ્યું કે પરદેશમાં ભમતાં ભમતાં કેઈ સ્ત્રીના મેહમાં
For Private And Personal Use Only