Book Title: Jain Katha Sagar Part 3
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Sangh Unjha

View full book text
Previous | Next

Page 399
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાધર ચરિત્ર ૩૮૧ વિનયંધર બેલ્યો “પુત્ર ! આ તે કઈ રીત છે? લગ્ન મંડાયાં છે. બન્નેનાં સાજન લગ્નની રાહ જોઈ રહ્યાં છે ત્યાં એમ કેમ બોલાય કે લગ્ન નથી કરવાં? લગ્ન નહોતાં કરવાં તે તારે પહેલાંથી કહેવું જોઈતું હતુંને ? આ તે તારી મારી અને રાજકુમારી ત્રણેની વિડંબના છે. યશોધરે સુરેન્દ્રદત્તના ભવથી માંડી પિતાને જાતિ સ્મરણ જ્ઞાન થયું ત્યાં સુધી બધે વૃત્તાન્ત કહ્યો. સ્થિર ચિત્તે વિનયંધર વિગેરે બધા આ વૃત્તાન્ત સાંભળી વૈરાગ્યવાસિત થયા છતાં બોલ્યા “પુત્ર હમણું તું લગ્ન કર. પછી તારે દીક્ષા લેવી હોય તે વધૂને સમજાવીને સુખેથી તું દીક્ષા લેજે.' પિતા ! આ ખોટે આગ્રહ શા માટે રાખે છે. સ્ત્રી એ તે વૈરાગીને બંધન રૂપ છે. શાંતિમાં શત્રુ રૂપ છે. સિંહ પરાક્રમી હોવા છતાં પાંજરામાં રહેવાથી નિષ્ક્રિય થાય છે તેમ સ્ત્રી સ્વીકારવાથી બલિષ્ઠ વૈરાગ્યવાળા પણ પરલેક સાધનમાં નિષ્ક્રિય થઈ જાય છે. પિતાજી ! આગ્રહ ન કરો અને મને દીક્ષાની રજા આપો.” વિનયંધરે કહ્યું “પુત્ર! બધું સાચું પણ પરણનાર વિનયમતીનું શું થશે ?” યશોધરે કહ્યું “આ તે સામાન્ય વાત છે. મારી બધી વાત તેને કહે જે તેની ભવિતવ્યતા પણ પાકી હશે તે તે પણ વૈરાગ્ય પામશે.” - વિનયંધરે કહ્યું “જે તે સંમત થાય તે મારી તને રજા છે. તુર્ત શંખવર્ધન નામના વૃદ્ધઅમાત્યને વિનયમતીના આવાસે મોકલવામાં આવ્યો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403