Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) નામનું શહેર વસાવ્યું અને તે રાજાના વંશમાંથી બાપા રાવળની ઉત્પત્તિ થઈ. વલ્લભીપુરમાં બે ત્રણ વખત હુમલાઓ થયા છે એમ સિદ્ધ થાય છે. તે વલ્લભીપુરમાંથી નાસીને મોરીમાં ગયેલા રાજાઓ જૈનધર્મ પાળતા હતા. આ બાબતને ઈતિહાસ જૈનગ્રન્થોમાંથી નીકળી આવે છે. સંદરાયના પંચાંગમાંથી અને જેનગ્રન્થોમાંથી આ બાબતની ઘણું હકીકત મળી શકે તેમ છે તે સંબંધી હજી ઘણી તપાસ કરવાની જરૂર છે. બાપા રાવળના વંશજોએ ચિતોડપર રાજ્ય કર્યું હતું. ચિતોડમાં શ્રી હરિભદ્રસૂરિ રહેતા હતા તે વખતમાં ત્યાંને રાજા જૈનધર્મ પાળતો હતો. પાછળથી વેદધર્મીઓનું જોર વધતાં બાપા રાવળના વંશજેમાં વેદધર્મ પગ પેસારે કર્યો તે પણ તેમના શિરોદિયા વંશના ઉદેપુરના રાણાએ વગેરે રજપુતસ્થાનના રાજાઓએ જૈનાચાર્યોને માન આપવામાં કચાશ રાખી નથી. હાલ પણ ઉદેપુરના રાણું તરફથી જૈન સૂરિઓને સારી રીતે માન મળે છે. બાપા રાવળના વંશ અસલ જૈનધર્મી હતા એમ જૈન ગ્રોથી સિદ્ધ થાય છે. તેના પર હુમલો આવવાથી તેનો નાશ થયો છે એમ કિંવદન્તીઓથી જણાય છે. મુરાસરિકા-વંકા એ જગચિંતામણિના ચૈત્યવંદનમાં જણાવેલા પાશ્વનાથ તે મોરી અર્થાત મુહરી ગામમાં હતા એમ કેટલાક વિદ્વાન જણાવે છે. એમ પણ બન્યું હોય કે વલ્લભીપુરથી નાસેલા ક્ષત્રિય રાજવંશી જેનોએ પર્વતમાં આવેલા મહુરી ગામને આશ્રય કરીને સમરાવ્યું હેય અને ત્યારથી તેમણે સુધરાવ્યાથી તેમનાથી ખ્યાતિ વધી હોય ગમે તેમ હોવ પણ મહુરી (મેરી)માં ક્ષત્રિય જૈન રાજાઓ રાજ્ય કરતા હતા એ સિદ્ધ થાય છે. તેની પાસે આવેલું શામળાજીનું દેહરું જેનોનું હતું. એમ જેન મન્દિરની શિલ્પકલાના વિધાનથી સિદ્ધ થાય છે. તેમાં થોડાં શતકપર વૈષ્ણવોએ મૂર્તિ બેસાડી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100