Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 72
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૯ ). ગાડાં ભરીને મહાશતકને ઘેર લાવી હતી. તેમજ ગાયોનાં આઠ ગોલ એટલે એંશી હજાર ગાયો લાવી હતી. ૮ નંદિનીપ્રિય શ્રાવક–સાવથ્થી નગરીમાં શ્રી નંદિનીપ્રિય શ્રાવક રહેતો હતો. તેણે ભૂમિમાં ચાર કરોડ સોનૈયા નિધાનરૂપે દાટયા હતા. બાદમાં ચાર કરોડ સોનામહોર અને વ્યાપારમાં ચાર કરોડ સેનામ્હોરે રોકી હતી. ગોકુલ વગેરે બીજી પણ ઘણું સમૃદ્ધિ તેની પાસે હતી. ૧૦ તેતલી પિતા શ્રાવક–સાવથ્થી નગરીમાં તેનલી પિતા નામને શ્રાવક રહેતો હતો. તેલી શ્રાવકે વ્યાજમાં, વ્યાપારમાં અને નિધાનમાં ચાર ચાર કરોડ સોનાલ્હેર રેકી હતી. તેના બે ચાર ગોકુલ હતાં. તેની પાસે બીજી પણ ઘણી સમૃદ્ધિ હતી. ભગવાનના દશ મુખ્ય શ્રાવકોની આ પ્રમાણે રૂદ્ધિ હતી. એક લાખને ઓગણસાઠ હજાર શ્રાવકે હતા તેઓ પણ ઘણી રૂદ્ધિવાળા હતા. તે પ્રમાણે અન્ય અવિરતિ શ્રાવકોની પાસે પણ કરોડો સેનેયા હોવા જોઈએ. શ્રી પાર્શ્વ પ્રભુના શ્રાવકે અને શ્રાવિકાઓ કરડે કરડે સોનેયાનાં આસામી હતાં. હાલમાં જેની પાસે તેવા પ્રકારની રૂદ્ધિ દેખાતી નથી અને આચાર્યો અને સાધુઓની પાસે તેવા પ્રકારની ચમત્કારશક્તિ પણ દેખાતી નથી. શ્રી હીરવિજયસૂરિના વખતમાં જૈનોના તીર્યમાં જેટલી વાર્ષિક આવતી હતી તેમાંનું હાલ કંઈ દેખાતું નથી. શ્રી હીરવિજયસૂરિના વખતમાં માર્યવંશી ચંદ્રગુપ્ત રાજાના વંશમાં થએલા વિમલસા અને તેના પેઢીધર મૂલચંદજીને અકબર બાદશાહે જે લેખ લખી આપ્યો છે તે લેખથી જેની ધનાઢ્યતાનો અને જૈનતીર્થોની ઉપજને ખ્યાલ લાવવા માટે તે લેખ અત્રે ઉતારવામાં આવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100