Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 82
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮ ) વાણિયાએ પૂર્વે કેટલાક શ્વેતાંબર હતા અને કેટલાક દિગંબર હતા. ડુંગર પુર, પ્રતાપગઢ, સલુંબર, ઈડર, કેશરીયા વગેરે ઠેકાણે તાંબર હુંબલ જેનાં ઘર છે. શ્વેતાંબર બેડ વાણિયાઓને વડગછ છે. વિહાર દેશમાં પૂર્વે જેનોની અપૂર્વ જાહેરજલાલી હતી, ત્યાં ધર્મયુદ્ધથી અનેક પરિવર્તન થયાં અને ત્યાં જ વસતિ રહી નહિ. તક્ષશિલા અર્થાત અફગાનિસ્થાનના ગીઝનીમાં માનદેવસૂરિના વખતમાં જૈનોની પુષ્કળ વસતિ હતી અને ત્યાંના શ્રાવકને નિરોગી બનાવવા માટે મારવાડથી માનદેવસૂરિએ નાની શાન્તિ બનાવીને મોક્લી હતી. ત્યાં મુસલમાનોની ચઢાઈઓથી જૈન મંદિરની પાયમાલી થઈ. કેટલીક મૂર્તિયે અન્યત્ર ગઈ અને કેટલીક હિન્દુસ્થા નમાં લાવવામાં આવી. તે દેશમાં જનાની વસતિ રહી નહિ. અરબસ્તાનના મક્કામાં મહમદ પેગંબર જપે તે પહેલાં જન મંદિરો હતાં. ત્યાંના શાસન દેવતાઓએ એક જૈન વ્યાપારીને સ્વપ્ન આપી ત્યાં ધર્મ વિપ્લવ થવાનું છે તેમ જણાવ્યું અને ત્યાંથી જિન પ્રતિમાઓને ખસેડવામાં આવી. મક્કામાં જીવંત સ્વામીની પ્રતિમા હતી તેને જેન વ્યાપારી મહુવામાં લાવ્યું. હાલ અરબસ્તાનમાં જૈનેની વસતિ નથી તેમજ જૈનનું નામ નિશાન પણ રહ્યું નથી. સિન્ધ દેશમાં પૂર્વ હજારો જિન મંદિર હતાં અને જેનોની પુષ્કળ વસતિ હતી. હાલ ત્યાં તેમનું કંઈ નથી. કાશ્મીર દેશમાં પૂર્વ જૈનોની વસતિ હતી હાલ દેખવામાં આવતી નથી. નેપાલ ભૂતાનમાં ભદ્રબાહુ સ્વામીના વખતમાં જનની વસતિ હતી અને ત્યાં જિન મંદિરે હતાં. હાલ તે બાબત ફક્ત યાદીમાં રહી છે. મહારાષ્ટ્ર દેશમાં પૂવ ત્યાંના લોકો જેનો હતા, હાલ તે પ્રમાણે દેખવામાં આવતું નથી. મહેસુરમાં પૂર્વે જનોની પુષ્કળ વસતિ હતી. હાલ સાપ ગયા ને લીસોટા રહ્યા તેની પેઠે ત્યાં જૈન રહ્યા છે, કારણકે ત્યાં ઘણું જનોનાં કુટુંબે અન્ય ધર્મમાં વટલાઈ ગયાં છે. પૂર્વે જ્યાં ચોવીશ તીર્થકરે જમ્યા હતા તે પૂર્વ દેશમાં ત્યાંના અસલ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100