Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ) વલ્લભીપૂરીમાં જનનાં ત્રણસેનેસાઠ દેરાં હતાં અને એક વખતે સર્વ દેરાસરમાં ઘંટ વાગતા હતા. વિક્રમ સંવતની પૂર્વે ગુજરાતમાં પંચાસર અને વડનગર એ બે જૂનાં નગર હતાં અને ત્યાં થનારા રાજાએ જનધર્મ પાળતા હતા. વિક્રમ સંવત પાંચસે તેવીસમાં ગૂજરાતની ગાદીના વડનગરમાં ધ્રુવસેન રાજા રાજ્ય કરતો હતો. ધ્રુવસેનરાજા જૈનધર્મ હતો. તેને પુત્ર મરણ પામવાથી તેને શોક થયો. તેને શેક ટાળવાને વિ. સં. પર૩ માં ધ્રુવસેનરાજાની સમક્ષ કલ્પસૂત્રની સભા મધ્યે વાચના શરૂ થઈ એમ કહપસૂત્રમાં લખ્યું છે. વિક્રમ સંવતની પૂર્વે ભદ્રબાહુ થયા અને તેમજ વિકમની પિલી સદિમાં વજીસ્વામી થયા વજીસ્વામીના વખતમાં મહાપુરીને રાજા બાદ્ધપક્ષમાં હતો તેને શ્રી વજીસ્વામીએ જૈનધમ બનાવ્યો હતો. માળવા, મારવાડ વગેરે દેશના રાજાઓ વિક્રમ સંવત્ પૂર્વે ઘણું જૈનધર્મ પાળતા હતા. ધર્મદાસગણિ મહારાજ કે જે શ્રી વીર પ્રભુના વખતમાં વિદ્યમાન હતા. તે રાજાના પુત્ર હતા. તેમના દેશમાં જૈનધર્મ પ્રસર્યો હતો. કાલિકાચાર્યના વખતમાં માળવા, ગુજરાત, સૌરાષ્ટ્ર, લાટ અને દક્ષિણ દેશના રાજાઓ ન હતા એમ તેમનાં ચરિત્રથી સિદ્ધ થાય છે. કાલિકાચાર્ય ત્રણ થયા હોય એમ સમજાય છે. ગર્ભિત રાજા કે જે ઉજજયિની નગરીમાં રાજ્ય કરતો હતો અને જેણે કાલિકાચાર્યની એન કે જે સાધ્વી થઈ હતી તેને ગર્દભિલ રાજાએ પિતાના અન્તઃપરમાં (જનાનખાનામાં) રાખી હતી તેથી કાલિકાચાર્ય ઇરાન, તુર્કસ્થાનના શાહિઓને બોલાવી સોરઠ દેશમાં થઈ લાટદેશ અર્થાત ભરૂચ તરફના દેશના રાજાઓને જીતીને ઉજજયિનીના ગર્દશિવરાજાને હરાવીને ગાદીપરથી ભ્રષ્ટ કર્યો હતો. તે વખતથી હિન્દમાં શાખી દેશના રાજએ અર્થાત શક રાજાઓનું જોર વધી પડ્યું. કેટલાક કાળે વિક્રમ રાજાએ શક વંશનો ઉચછેદ કરી સાર્વભૌમ રાજ્યની સ્થાપના કરી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100