Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 57
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૪). ભાગ વેદધર્મી હવાથી વેદધર્મને હિન્દુધર્મ તરીકે કહેવા લાગ્યા. હિ ન્દુસ્થાનના ઘણું લેકમાં વેદધર્મ પળાતો હોવાથી વેદધર્મ તે પન્નરમા સિકા લગભગથી હિન્દુધર્મ તરીકે પ્રસિદ્ધ થયે પણ તે વેદધર્મ પૂર્વે હિન્દુધર્મ તરીકે ઓળખાતો હતો. કારણ કે વિક્રમના છા સૈકા સુધી તે હિન્દુસ્થાનના સર્વ લેકેને મુખ્ય ધર્મ જૈનધર્મ હોવાથી જૈનધર્મ તેજ હિન્દુઓને મુખ્ય ધર્મ ગણતો હતો અને જૈનધર્મજ હિન્દુસ્થાનનો આર્યધર્મ ગણાતો હતો. જૈનશાસ્ત્રમાં સાધુને પ્રાર્થ અને સાધ્વીઓને માર્યા તરીકે કહેવાનો સૂત્રોના આધારે રીવાજ હતો. સ્થાનકવાસીઓમાં સાધ્વીઓને હાલ પણ ના કહેવાને રીવાજ છે. જેને પૂર્વે આર્ય દેશના વાસી હોવાથી શાર્ક તરીકે ગણાતા હતા. ક્ષત્રિય રાજાઓ અને ક્ષત્રિયોમાં વેદધર્મનો ઘણો પ્રચાર થયા બાદ જૈનાચાર્યોએ જૈન રહેલા ક્ષત્રિયોને વેદધર્મિક્ષત્રિયથી જુદા પાડયા અને તેઓ વ્યાપાર કરવાથી વાણિયા ગણાવવા લાગ્યા. કહેવાને સારાંશ એ છે કે વિશા શ્રીમાલી વગેરે પૂર્વ રજપુતો હતા. વીશા શ્રીમાલીમાંથી દશા થયા અને દશામાંથી પાંચા વાણિયા થયા છે. ક્ષત્રિયોને વેદધર્મી બનાવવામાં બ્રાહ્મણોએ તેઓને માંસ દારૂ પીવા વગેરેની છૂટ આપી અને એટલા સુધી કહેવા લાગ્યા કે માંસનું ભક્ષણ કરવું. મૃગયા રમવા એ તે ક્ષત્રિયોને ધર્મ છે. હિન્દુસ્તાનમાં પરદેશીઓના હુમલાથી અજ્ઞાન ઘણું પ્રસર્યું તેથી ક્ષત્રિય અને ક્ષત્રિય રાજાઓને જોઈતું હતું અને વૈદે કહ્યું તેની માફક બ્રાહ્મણોએ મુકેલી થી ઘણા ક્ષત્રિય રાજાઓ અને ક્ષત્રિયએ વેદ ધર્મ સ્વીકાર્યો અને તેથી જેનાચાર્યોએ જૈન તરીકે રહેલા ક્ષત્રિયને માંસભક્ષી દારૂપાની ક્ષત્રિયથી ભિન્ન સમાજ તરીકે કર્યા, તેમાં ઘણાં કારણે હશે કારણકે તે વખતે તે કેવી સ્થિતિમાં મૂકાયા હશે તેને હાલ ગમે તેટલાં અનુમાનથી વિચાર કરીએ તો પણ તેને પૂર્ણ ખ્યાલ આવી શકે નહિ. જૈનાચાર્યોએ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100