Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરથી આપણે એટલું સમજવાનું છે કે ભેંસાશા વગેરે શેઠીયાઓની પાસે પહેલાં કરોડો અબજો સોનેયા અને રૂપિયા હતા. તેના આગળ અમેરિકા વગેરેના કરેડાધિપતિ કંઈ હિસાબમાં નથી.
ચાંપાનેરમાં પૂર્વે વીસહજાર ઉપર શ્રાવકનાં ઘર હતાં તે શહેરમાં કોઈ નવો શ્રાવક વસવા આવતો હતો તેને માટે એવો ઠરાવ હતો કે દરેક ઘરથી એક સેના અને એક ઇંટ આપવી આ રીવાજથી ત્યાં વાસ કરનાર શ્રાવક થોડા વખતમાં ધનવાન બનતે હતે. સાંભળવા પ્રમાણે માંડવગઢ વા અન્ય કોઈ પ્રાચીન નગર કે જેની યાદી રહી નથી તેમાં કોઈ શ્રાવકને ઘેર પુત્રને જન્મ થતાં દરેક શ્રાવકના ઘેરથી એક સોને ભેટણા તરીકે આવત. સર્વ ઘરેથી આવેલા સોનૈયા તે પુત્રના નામે જમે થતા હતા અને તેથી તે ભવિષ્યમાં ધનવાન તરીકે રહી શકતો હતે. પૂર્વના જેનો ઘણું ધનવાન હતા અને વિવેકી હતા તેથી ઉપર પ્રમાણે ઉત્તમ ઠરાવ કરી શકતા હતા.
પ્રતાપ રાણાના રાજ્યમાં રહેનાર ભામાશા શ્રાવકની પાસે કેરોડો રૂપૈયા હતા. પ્રતાપ રાણે કંટાળીને સિન્ધ દેશ તરફ જતો હતો તે વખતે ભામાશાહે પ્રતાપ રાણુને કહ્યું કે તમે પાછા વળો અને હિમ્મતથી લશ્કરને ભેગું કરે. પ્રતાપ રાણાએ કહ્યું કે સૈનિકોને પગાર આપવા માટે હવે મારી પાસે ધન રહ્યું નથી. ભામાશાહે કહ્યું કે તમારા લશ્કરને બાર વર્ષ સુધી પગાર ખર્ચ વગેરે આપું તો પણ લક્ષ્મી ખૂટે નહીં એટલી લક્ષ્મી મારી પાસે છે. આ પ્રમાણે કહીને તેણે પ્રતાપ રાણાને પાછો વાળે અને છેવટે ભામાશાની લક્ષ્મી વડે પ્રતાપ રાણાએ પાછું રાજ્ય મેળવ્યું. પૂર્વે લાખે વર્ષપર જેને વહાણ વડે અન્ય દેશોની સાથે વ્યાપાર ખેડતા હતા અને પરદેશમાંથી લક્ષ્મી લાવતા હતા. સૌથી પહેલાં આર્યાવર્તમાં વહાણો બન્યાં હતાં એમ ન ગ્રન્થોથી સિદ્ધ થાય છે. ગુજરાતમાં છેલ્લામાં છેલ્લા વ
For Private And Personal Use Only

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100