Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭). થઈ છે. ગુજરાત દેશમાં ચાલતી ગુજરાતી ભાષાના પ્રવર્તકે જ છે એમ ઐતિહાસિક દષ્ટિથી સિદ્ધ થાય છે. સંસ્કૃત ભાષામાં પ્રાચીનમાં પ્રાચીન જૈન શાકટાયન વ્યાકરણ છે તેથી સંસ્કૃત ભાષામાં જેને પ્રથમ હાથ છે એમ સિદ્ધ થાય છે. જેનેએ સંસ્કૃત ભાષામાં હજારો ગ્ર લખ્યા છે તે જેસલમેર, પાટણ, ખંભાત, અમદાવાદ વગેરેના જૂના ભંડારો જેવાથી માલુમ પડે છે. જૈનધર્મ સાહિત્ય સંબંધી મીસીસ એનીબેસન્ટ નીચે પ્રમાણે કહે છે કે “જૈનધર્મ રાજાઓ પૂરા પાડ્યા એટલું જ નહિ પણ તેઓ તામીલ ભાષાના સંસ્થાપક હતા. તામીલ ભાષાનું વ્યાકરણ જે સરસ હયાત વ્યાકરણોમાં બહુજ શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે લખેલું છે તે પણ જેની કૃતિ છે. પવનન્દીનું કપ્રિય વ્યાકરણ નમાલ તેમજ લાદીયર જનોનાં છે પ્રખ્યાત કવિ તીરૂવલુવરનું કુલ જે દરેક દક્ષિણ હિન્દુસ્થાનના રહેવાશીને જાણીતું છે તે જૈનેનો ગ્રન્ય છે એમ કહેવાય છે અને તેનું કારણ એ છે કે તે જનોના શબ્દ વાપરે છે. તે અહતે વિષે લખે છે. અને જેનોના પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરે છે અને તેટલા માટે તે જૈનધર્મને હેય એમ માનવામાં આવે છે.” આ ઉપરથી સિદ્ધ થાય છે કે નાગધી, પ્રાકૃત, તામીલ-કાનડી કેનેરી, શારસેના, પિશાચી, અને ગુજરાતી વગેરે ભાષાઓ જેનાથી ઉદ્દભવી છે. સસ્કૃત ભાષાને જનોએ વ્યાકરણ આદિ બનાવીને સારી રીતે ખેડીને આર્યાવર્તની ભાષા સાહિત્યની ઉન્નતિ કરી છે શા કટાયન જેનેન્દ્ર, સિદ્ધહેમ, બુદ્ધિસાગર, વગેરે જૈનેનાં સંસ્કૃત વ્યાકરણો છે. પાણિનિ વ્યાકરણના પહેલાંનું હાલમાં જનોનું શા ફટાયત વ્યાકરણ ગણાય છે. વિક્રમ સંવત્ તેની સાલથી જ એ ગુજરાતી ભાષા ખેડવા માંડો છે. ગુજરાતી ભાષામાં જેનોના સેંકડો રાસાઓ વગેરેનાં પુસ્તક મળી આવે છે. તેમજ ગુજરાતી ભાષામાં લખાયેલા જૈનોના ગદ્ય ગ્રન્થો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100