________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩e
જૈનધર્મ પ્રકાશ.
કોઈને સુખ-શાન્તિ ઉપજોકેઈને દુઃખ-શાન્તિ નજ ઉપજે એમ કાળજીથી વતી ! જેવું શુભાશુભ વર્તાને તમે બીજી તરફ લાવશે તેવું જ શુભાશુભ વર્તન પ્રાયઃ તેઓ તમારા તરફ ચલાવવા લલચાશે. મતલબ કે તમારું ભાવિષ્ય સુધારવું એ તમારા જ હાથમાં છે, એટલું જ નહિ પણ બીજા બધાઓનું હિત કરવા ચાહો તે તે તમારા વર્તનવડે કરી શકે એમ છે-એજ એને ઉત્તમ ઉપાય છે. यत:-" श्रुयतां धर्म सर्वस्वं, श्रुत्वा चवावधार्यताम् ।
आत्मनः प्रतिकूलानि, परेपां न समाचरेत् ॥" અર્થાત્ ધર્મના રહસ્યભૂત ઉત્તમ ફરમાન બરાબર કાન દઈને આપણે સાંભળવાં, સાંભળેલાં ઉત્તમ ફરમાન હૃદયમાં ધારી લેવા તે શ્રેષ્ઠ ફરમાન વિસરી ન જવાં પણ વિવેકપૂર્વક તે પવિત્ર ફરમાન મુજબ આચરણ કરવું એટલે કે જે વાત આપણા આત્માને અહિતકારી–અનર્થકારી–અધોગતિમાં લઈ જનારીજણાય તે તે વાતના અખતરા બીજા કેઈ ઉપર અજમાવવા નહિ. મતલબ કે જે જે વાત આપણને પિતાને નુકશાનકારી, ખાટી, અન્યાય ભરેલી અને અગતિમાં ઘસડી લઈ જનારી હોવાથી નહિ કરવા ચોગ્ય જણાય તે તે હિંસા, અસત્ય, અદત્ત, અબહ્મ પ્રમુખ પાપ સ્થાનકે આપણે જાતે સર્વ શક્તિથી વજીને આત્મસંયમ સેવી બીજા આપણા માનવ બાંધવે પણ તે તે અનિષ્ટ પાપસ્થાનકોથી બચવા પામે તેમ તેમ પણ યથાશકિત ઉપદેશાદિક વડે અનુકૂળતા કરી આપવી એ આપણી પવિત્ર ફરજ છે, એટલું જ નહિ પરંતુ તેમ કરતાં માગમાં જે કંઈ પ્રતિકાતા આડી આવતી હોય તેને સ્વ રામર્થ્યવડે દૂર કરવા ચૂકવું નહિ, પણ આપાનું ઉત્તમ ર્તવ્યજ છે એમ આપણે અખંડ ભાન રાખી રહેવું જોઈએ. તે પછી બીજાઓના માર્ગમાં પ્રતિકુળતા ખડી કરવાનું તે રહ્યું જ કયાં ? હિતને ખરેખર ઈછતા અને સમજતા સુજ્ઞ જનો કદાપિ કાળે પણ અન્યનેના માર્ગમાં આડખીલ નાંખે એ નહિ બનવા જોગ છે. તેમ છતાં જે જેને પોતાની વિષમ વૃત્તિથી અન્યને પ્રતિકૂળ થઈ વર્તે છે તે બાપડા મુગ્ધ જનેએ હજુ અ હિતને માર્ગ જા કે આદર્યો જ નથી એમ સિદ્ધ થાય છે. ખરા જ્ઞાની અને વિવેકીનું તે શાસ્ત્રકારે આવી રીતે વ્યાખ્યાન કરેલું છે કે
" मातृवत् परदारेषु, परद्रव्येषु लोष्टवत् । ____ आत्मवत् सर्व भूतेषु, यः पश्यति स पश्यति ॥" જે પરસ્ત્રી વિષે માતા જેવી બુદ્ધિ રાખે છે, પર દ્રવ્ય વિશે પથ્થર જેવી બુદ્ધિ
For Private And Personal Use Only