Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંગ્રેજી ચૅદ મહા મુવા લેખનું વિવેચન. ૩૫ સમજાય છે. વસ્તુનું બારીકીથી નિરીક્ષણ કરવા જે ટેવાયા હોય છે તે બહેરથી જણાતી નજીવી વસ્તુમાંથી પણ બહુ ઉપયોગી રહસ્ય મેળવી શકે છે. એવા નરે બેદરકારીથી ઈપણ બાબતને નજીવી ગણી હસી કાઢતા નથી. તેથી જ તેઓ મહત્ત્વનાં કાર્યો બહ૪ ડહાપણુથી અને ફતેહમંદીથી પાર પાડી શકે છે. જે લોકો નજીવી જેવી દેખાતી બાબતમાં ઉપેક્ષા કરે છે-બેદરકારીથી તેને કશે લાભ લેતા નથી તેઓ મહત્ત્વની બાબતમાં પણ પ્રાયઃ ભૂલ થાપ ખાઈ બેસે છે અને તેનું પરિણામ બધા નિરાશામાં આવે છે, જે અત્યંત ખેદકારક છે. કવાય છે કે “ દુનિયામાં કોઈ વસ્તુ નિરૂપયોગી નથી. ” દરેક વસ્તુ માંથી કંઈ ને કંઈ ગુણ ગ્રહણ કરી શકાય તેમ છે. વળી “રજ સરખી વસ્તુ પણ વખતે ઉપગી થઈ શકે છે. ” “ ગરજ પડે ત્યારે ગધેડાને પણ કાકે કહેવે પડે છે ” એ કહેવત પણ દુનિયામાં અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુની ઉપયોગિતા સિદ્ધ કરી આપે છે. સંસાર વ્યવહારમાં શું થાય છતાં કેટલાક લોકો પિતાની પાસેના બહેળાં સાધન વિગેરેના ગર્વથી બીજા ઓછાં સાધનવાળાની અથવા તેવાં સાધનગરનાની તમા રાખતા નથી. એટલું જ નહિ પણ પિતાને પ્રાપ્ત પ્રબળ સત્તાથી બીજાને નજીવા-નકામા-માલા લખી તેમને સતાવે છે, પડે છે, તેમણે પોતાનું તુંડ મિજાશીપણું તજી દઈ બીજા બધાની ઉપયોગિતા સ્વીકારવી અને તેમના તરફ ઊંચત નમ્રતા દાખવવી યુક્ત છે. આ વાતની સત્યતા સમજનારા સજન પુરૂ ગમે તેવા ઉંચા અધિકારને પામ્યા છતાં અધિકારતા મઢથી કંઈ પણ માનવ વલતિની અવગણના કરતા નથી એટલું જ નહિ પરંતુ તેમની લાગણીને લગારે નહિ દુભવતાં તેને યોગ્ય માન આપે છે. આવી ઉત્તમ કુનેહથી કામ કરનારા ગમે તેવાં મહત્ત્વનાં કામ હાથ ધરી પાર પહોંચાડી શકે છે. કેમકે પિતાના માનવ બંધુઓની શુભ લાગણીઓનું ઉચિત માન જાળવવાથી, તેનો ઘટતો સત્કાર કરવાથી તેઓ તેમના પિતાના પ્રત્યે લાખ બલકે કરડે માનવીએનાં મનને જીતી શકે છે. અને તેથી ધારેલાં કાર્ય બહુ ફતેહમંદીથી પાર ઉતારી શકે છે. પરંતુ એથી ઉલટું વર્તન કરીને અધિકાર આદિકના મદવડે લેકથી અતડા રહી, તેમની લાગણી દુભાવીને જે અક્કલના નમુના મહત્ત્વનાં કાર્ય કરવા જાય છે, તેમના કાર્યમાં અનેક વિધ્ર ઉપસ્થિત થાય છે, જેથી તેમને મોટી મુશીબતે વચ્ચે પસાર થવું પડે છે અને કોઈ વખત તે પિતાના જીવનું પણ જોખમ હેરી લેવું પડે છે એ અત્યંત ખેદકારક બીના છે. જે બીજી માનવ વ્યતિઓને નવીનકામી–નમાલી વણી તેની તદ્દન અવગણના કરે છે, તેમની આંતરડી રહે છે, તેમને અનેક રીતે પજવે છે-સંતાવે છે તેમને જેમ અનેક કીડી એ મળી કાળા નાગને પ્રાણું લીધું હતું તે કવચિત્ મહા વિરેના પરિણામે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44