Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ-ખાસ વધારે. શેક શિવલાલ બાદરચંદનું ખેદકારક મૃત્યુ. આ રાંધણાપુર નિવાસી જૈનબંધુ બહુજ ધર્મ છે. પ્રકૃતિએ ઉદાર, વિભાવે ત, સાધુ સદીની ભક્તિમાં તત્પર, પ્રમાણિક અને પોપકારશીલ હતા. સંસારથી બાહય વિરકત વૃત્તિવાળા હતા. તેઓ માત્ર ૩૬ વર્ષની યુવાન વયમાં વૃદ્ધ માતુશ્રી, વિવાહીત એક પુત્રી અને અનાથ વિધવાને તજી દઈને જ્યના દુખ વ્યાધિને ભેગ થઈ પડ્યા છે. ગયા કાર્તિક વદિ ૧૪શે રાંધણપુર ખાતે તેઓ દેહ ત છે. છેવટ સુધી બહુ સારી શુદ્ધિમાં અને ધર્મપરાયણ વૃત્તિમાં રહ્યા છે. પાછલા વખતમાં સ્થિતિ સામાન્ય છતાં સ્વાભાવિક ગુણો જેવા ને તેવા બન્યા રહ્યા હતા. એવા સદ્દગુણી સભાસદને અભાવ થવાથી અમારી સભાએ એક ઉત્તમ વ્યક્તિ ખેદ છે. પરંતુ ભાવી બળવાન છે તેની પાસે મનુષ્ય નિરૂપાય છે. તેથી અમે તેમની માતુશ્રી વિગેરેને દિલાસો આપીએ છીએ અને તેમના આત્માને શાંતિ ઇચ્છીએ છીએ, શા. વર્ધમાન ચતુર્ભુજનું ખેદકારક મરણ. શ્રી રાણપુર નિવાસી વર્ધમાન મારફતીઓ કે જેઓ સારા ધર્મિષ્ટ, ઉદાર દિલના, જૈનવર્ગમાં જાણીતા અને રાણપુરના સંધમાં એક આગેવાન ગણાતા ગૃહસ્થ હતા; તેઓ પિતાની ૫૧ વર્ષની વયે ગયા માગશર શુદિ ૧૦મે પંચત્વ પામ્યા છે. એને સ્વભાવ ઘણે માયાળુ હ, મુનિરાજની ભક્તિમાં તત્પર રહેતા હતા અને ધર્મકાર્યમાં આગેવાની ભર્યો ભાગ લેતા હતા. તેઓ માત્ર સહજના વ્યાધિમાં મુંબઈ પાસે ઘાટકુપર ખાતે દેહમુક્ત થયા છે. પાછલા સંતતીમાં તેમના પુત્ર રતલાલ પણ ઘણા લાયક છે. તેમના કુટુંબને પડેલા અસહ્ય દુઃખમાં અમે દિલાસે આપીએ છીએ. વર્ધમાનભાઈ બહુ વિચક્ષણ હોવાથી પિતાની પાછળ શોક સંતાપ કમી કરવા સંબંધી તેમજ ધર્મકાર્ય વિશેષ કરવા સંબંધી પિતે જ લખી ગયા છે. કાળની ગતિ દુરતિક છે, તેની પાસે મનુષ્ય નિરૂપાય છે તેથી હવે તેમના પુત્રે તેમના પગલે ચાલી શ્રી ધમાં પડતી ખામી જણાતા ન દેવી એજ કર્તવ્ય છે. એમાં અમારી સભાના લાઈફ મેમ્બર હતા, તેથી સભાને પણ તેમની ખામી પડી છે. પરંતુ ભાવી પ્રબળ છે. અમે તેમના આત્માને શાંતિ મળે એમ ઇચ્છીએ છીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44